જામનગર શહેરમાં પરણીતાનો રહસ્યમય સંજોગોમાં આપઘાત

  • August 19, 2023 10:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ફાંસો ખાઇને પગલુ ભરતા પરિવારમાં શોકની લાગણી

જામનગરમાં સરદારનગર વિસ્તારમાં રહેતી પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
જામનગરમાં સાંઢીયા પૂલ નજીક સરદાર નગર શેરી નંબર -૭ માં રહેતી રીટાબેન ધીરુભાઈ ખૂંટી (ઉ.વ.૪૫) નામની મહિલાએ પોતાના ઘેર પંખામાં સાડી વળે ગળાફાંસો ખાઈને લટકી ગઈ હતી.
 આ બનાવ સમયે તેણીનો પતિ ધીરુભાઈ ખૂંટી ફૂલહાર ખરીદવા ગયો હતો, ત્યાંથી ઘેર આવી પહોંચતા પત્નીને પંખામાં લટકતી જોઈ હતી. જેથી પાડોશીઓની મદદ લઈને રીટાબેનને નીચે ઉતારી ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડી હતી, પરંતુ ત્યાં તેણીનો માત્ર મૃતદેહ જ પહોંચ્યો હતો, અને ફરજ પરના તબીબે તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
 આ બનાવ અંગે પતિ ધીરુભાઈ નાથાભાઈએ પોલીસને જાણ કરતાં સિટી સી. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
**
ધતુરિયાની પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી એસિડ ગટગટાવ્યું
કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહેતા અનીતાબેન દેવાતભાઈ નંદાણીયા નામના ૨૮ વર્ષના આહિર પરિણીતાએ પોતાના હાથે એસિડ પી લેતા તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ પ્રકરણ અંગે અનીતાબેને કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેણીના સાસુ અંજુબેન રણમલભાઈ નંદાણીયા તથા સસરા રણમલભાઈ મારખીભાઈ નંદાણીયા દ્વારા તેણીના લગ્નજીવન દરમ્યાન છેલ્લા છ વર્ષથી સંતાન ન થતા અનિતાબેનને મેણા-ટોણા મારી, શારીરિક તથા માનસિક દુ:ખ ત્રાસ આપવામાં આવતો હતો. આટલું જ નહીં, તેણી પર કરવામાં આવતી ચારિત્ર અંગેની ખોટી શંકાઓ તેણીથી સહન ન થતાં તેણે આ પગલું ભર્યું હોવાનું પોલીસમાં જાહેર થયું છે.
આ અંગે કલ્યાણપુર પોલીસે અનિતાબેન દેવાતભાઈ નંદાણીયાની ફરિયાદ પરથી સાસુ તથા સસરા સામે આઈ.પી.સી. કલમ ૪૯૮ (એ), ૩૨૩ તથા ૧૧૪ મુજબ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application