સલાયામાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ ધામધૂમ પૂર્વક ઉજવાઈ

  • November 20, 2023 10:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા તથા મહાનુભાવોનું કરાયું સન્માન

સલાયા લોહાણા મહાજનવાડીમાં પૂજ્ય જલારામ બાપાની ૨૨૪ મી જન્મજયંતિ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી હતી.જેમાં કેબિનેટ મંત્રી તથા ધારાસભ્ય શ્રી મુળુભાઇ બેરા સાહેબ લોહાણા મહાજનના આમંત્રણને માન આપી ખાસ પધાર્યા હતા. મુળુભાઇએ જલારામ મંદિરે બાપાના દર્શન કરી આયોજકોને શુભેક્ષાં પાઠવી હતી.સલાયા લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઈ લાલ તેમજ ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણી તેમજ મનુભાઈ પંચમતિયા,સુરેશભાઈ બારાઈ તથા શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ ભૂવા તેમજ જલારામ સેવા સમીતીના સભ્યો દ્વારા મુળુભાઇને સાફો પહેરાવી શાલ અને ચુંદડી ઓઢાડી સન્માન કર્યું હતું.
ત્યારબાદ જલારામ મંદિરે નૂતન ધ્વજા આરોહણ કરી અને વાજતે ગાજતે શોભાયાત્રા કરી અને જલારામ મંદિરે ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સલાયા લોહાણા મહાજનવાડીએ સમાજના વિવિધ ક્ષેત્રે સેવા આપનાર સમાજ શ્રેષ્ઠીઓનું સન્માન લોહાણા મહાજન દ્વારા કરાયું હતું.
જેમાં ખંભાળિયા નગર પાલિકા પ્રમુખ રચનાબેન મોહિતભાઇ મોટાણી,રેડક્રોસ સોસાયટી ખંભાળિયાના અધ્યક્ષ કિરીટભાઇ મજીઠીયા, તાલુકા પંચાયતના સદસ્ય શ્રી ધેલુભા જાડેજા,ખંભાળિયા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ ગિરુભા જાડેજા તેમજ માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધિરેનભાઈ બદિયાણીનું સન્માનપત્ર તેમજ શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ત્યારબાદ સલાયા, સોડ્સલા તેમજ કુબેર વીસોત્રી ગામના સમસ્ત હિન્દુ સમાજે સમૂહ મહાપ્રસાદ લીધો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સલાયા લોહાણા મહાજન,જલારામ સેવા સમિતિ તેમજ જલારામ મંદિર અન્નક્ષેત્રના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application