જી.જી.હોસ્પિટલમાં 20 દર્દીઓ ડેન્ગ્યુના કારણે કરાયા દાખલ: દરરોજ જી.જી.હોસ્5િટલમાં ડેન્ગ્યુના 30 અને તાવના 200થી વધુ કેસ જયારે ખાનગી હોસ્પિટલમાં 35 થી 40 ડેન્ગ્યુ અને તાવના 175થી વધુ કેસ નોંધાયા છે: રોગચાળાએ ભરડો લીધો
જામનગર અને ગામડાઓમાં ડેન્ગ્યુ અને તાવના કેસો હજુ પણ વધી રહ્યા છે, શિયાળો બેસી ગયો છે છતાં પણ હાલમાં ડેન્ગ્યુના 20 દર્દીઓ જી.જી. હોસ્પિટલમાં અને 15 જેટલા દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે, ડોકટરોના જણાવ્યા મુજબ દરરોજ 20 થી 25 દર્દીઓ ડેન્ગ્યુ પોઝીટીવ નિકળે છે જયારે જી.જી.હોસ્પિટલમાં દરરોજ 200થી વધુ દર્દીઓ તાવ અને વાયરલ ઇન્ફેકશનના આવે છે તેમાંથી પણ અમુકને દાખલ કરવામાં આવે છે. રોગચાળાએ ભરડો લીધો છે, ખાનગી હોસ્પિટલની ઓપીડીમાં દરરોજ ડેન્ગ્યુના 35 થી 40 કેસ નોંધાતા હોવાનું સર્વેમાં આવ્યું છે ત્યારે રોગચાળાએ નવાનગરને ચોકકસપણે ભરડો લીધો છે જેનાથી લોકો હેરાન-પરેશાન થઇ ગયા છે.
જામનગર શહેર જ નહીં કાલાવડ, ખંભાળીયા, કલ્યાણપુર, લાલપુર, ભાણવડ, ધ્રોલ, જોડીયા સહિતના ગામોમાં પણ શરદી-ઉધરસના કેસોની સાથે ડેન્ગ્યુ અને તાવના કેસો વધી રહ્યા છે. ટુંકમાં રોગચાળો વધી રહ્યો છે તે ખુબ જ ચિંતાજનક કહી શકાય. મિશ્ર ઋતુને કારણે રોગચાળો હટવાનું નામ લેતો નથી. ખાનગી હોસ્પિટલની ઓપીડી અને જી.જી.ની ઓપીડી દર્દીઓથી ઉભરાઇ રહી છે ત્યારે ઝડપથી રોગચાળો ઓછો થાય તેમ લોકો ઇચ્છી રહ્યા છે.
શહેરની જી.જી.હોસ્પિટલમાં ડેન્ગ્યુએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે આજે સવારે પણ ડેન્ગ્યુથી પીડાતા અનેક દર્દીઓ ઓપીડીમાં સારવાર લેવા માટે આવ્યા હતાં, 30 જેટલા દર્દીઓ જોવા મળ્યા હતાં, ગઇકાલે 20 થી વધુ દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે, અઠવાડીયામાં 450થી વધુ દર્દીઓને દાખલ કરી સારવાર આપી રજા આપી દેવામાં આવી છે. જયારે ખાનગી હોસ્પિટલમાં તાવ અને વાયરલ ઇન્ફેકશનના 175થી વધુ અને જી.જી.હોસ્પિટલમાં 200 જેટલા દર્દીઓ ઓપીડીમાં હોવાનું જાણવા મળ્યું છે જેમાં 13થી 15દર્દીઓને દાખલ કરાયા હોવાનું બહાર આવ્યું છે. અધિક ડીન ડો.એસ.એસ.ચેટરજીના જણાવ્યા મુજબ રોગચાળો વઘ્યો છે, આજે પણ ઓપીડીમાં ડેન્ગ્યુ, તાવ અને વાયરલ ઇન્ફેકશનના કેસો જોવા મળ્યા છે જે ચિંતાજનક છે.
જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા ડેન્ગ્યુ અને તાવના આંકડા શા માટે છુપાવાય છે...?
જામનગર શહેરમાં તો ડેન્ગ્યુ અને તાવના રોગે હાહાકાર મચાવ્યો છે, જિલ્લાના ગામડાઓમાં પણ શિયાળાની શઆતમાં વાયરલ ઈન્ફેકશન અને ડેન્ગ્યુના કેસો વધી રહ્યા છે ત્યારે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સતાવાળાઓ જી.જી.હોસ્પિટલની જેમ રોગચાળાના સાચા આંકડા આપતા નથી, ખરી રીતે તો દરરોજ સાંજે ડેન્ગ્યુ અને તાવના દર્દીના સાચા ફીગર આપવા જોઇએ, જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ અંગે તપાસ કરવાની જર છે તેમ લોકોમાં બોલાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech