જામજોધપુરમાં લાંબા અંતરની ટ્રેન શરુ કરવા માંગ

  • December 12, 2023 01:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર ધોરાજી અને ઉપલેટા તાલુકાના મુસાફરો માટે એક પણ નવી લાંબા અંતરની ટ્રેન ની ફાળવણી રેલવે તંત્ર દ્વારા કરવામાં આવી નથી. જ્યારે અન્ય સ્થળો પર દિવાળી પર ભેટ સ્વરૂપે લાંબા અંતરની ટ્રેન ફાળવવામાં આવતા જામજોધપુર ધોરાજી અને ઉપલેટા તાલુકાના પ્રજાને અન્યાય થઈ રહ્યો છે જેથી તાત્કાલિક ટ્રેન શરૂ કરવા લોકોમાં માંગ ઉઠી છે.
વાસજાળીયા થી જેતલસર મીટર ગેજ માંથી બ્રોડગેજમાં રૂપાંતર થયા વર્ષો થઈ ગયા છે તેમજ અન્ય રેલવે લાઇન ને પણ મીટર ગેજમાંથી બ્રોડગેજમાં ફેરવવામાં આવ્યા અને ટૂંકો સમય થયો હોવા છતાં પણ લાંબા અંતરની ટ્રેન ફાળવવામાં આવી છે જ્યારે  જામજોધપુર ધોરાજી અને ઉપલેટા તાલુકાના વિસ્તારો માટે એક પણ નવી લાંબા અંતરની ટ્રેન ફાળવવામાં ન આવતા આ ત્રણ વિસ્તારના તાલુકાના મુસાફરો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ વિસ્તારના સાંસદોને પણ અનેક વખત આ મુદ્દે રેલવે બોર્ડને રજૂઆત કરાઇ તેવી લોકોમાં માંગ ઉઠી છે તો વળી આ ૩ તાલુકામાંથી રોજ ઘણા બધા વિદ્યાર્થીઓ અને વેપાર ધંધા માટે વેપારી વર્ગ સંખ્યા વધુ છે. રાજકોટ જવા માટે ફક્ત એક જ ટ્રેન હોવાના કારણે જામજોધપુર ધોરાજી અને ઉપલેટા તાલુકાના મુસાફરોને ભારે હાલાકીનું સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે લોકોમાં તાત્કાલિક લાંબા અંતરની ટ્રેન શરૂ કરવા માંગ કરી છે. ઉકત રૂટ પર બહોળી સંખ્યામાં પ્રવાસીઓની અવર જવરને લક્ષમાં રાખી નિર્ણય કરવા લોક માંગ ઉઠી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application