સુરતમાં લગ્નમાં જમવાનું ઓછું પડતાં જાન પાછી ફરી, પોલીસે કરાવ્યું સમાધાન

  • February 03, 2025 10:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતમાં એક અનોખી ઘટના સામે આવી છે. જ્યાં લગ્ન પ્રસંગમાં જમવાનું ઓછું પડવાના કારણે જાનૈયાઓ રોષે ભરાઈને વરરાજા સાથે લગ્ન વગર જ પરત ફરી ગયા હતા.


શું બન્યું હતું?

સુરતના વરાછા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનગર વાડીમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો. લગ્નમાં હાજર રહેલા જાનૈયાઓને જમવાનું ઓછું પડતા તેઓ રોષે ભરાયા હતા. આ બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ થયો હતો અને પરિણામે જાનૈયાઓ વરરાજા સાથે લગ્ન વિધિ કર્યા વગર જ પરત ફરી ગયા હતા.


પોલીસે કરાવ્યું સમાધાન:

સમગ્ર ઘટનાથી ગભરાયેલ કન્યાના પિતાએ વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો. જે બાદ વરાછા પોલીસ દ્વારા વર-કન્યા પક્ષને પોલીસ સ્ટેશનમાં બોલાવીને સમજાવ્યા હતા. પોલીસની દરમિયાનગીરીથી સુખદ સમગ્ર મામલાનો સુખદ અંત આવ્યો હતો. બંને પક્ષના લોકો લગ્ન માટે સહમત થયા હતા અને પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓની સામે જ વર-કન્યાએ વરમાળા પહેરાવી હતી. અને ત્યારબાદ વાજતે-ગાજતે જાનૈયાઓ જાન લઈને લગ્નસ્થળ પર પહોંચ્યા હતા. આમ સમસ્યાનું સુખદ સમાધાન થયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application