અકસ્માતમાં પગમાં ફ્રેકચર થતા કામ નહી કરી શકતા લાગી આવ્યું
જોડીયાના પીઠડ ગામના શ્રમિક મહિલાને ૩ મહીના પહેલા અકસ્માતના કારણે પગમાં ફ્રેકચર થયું હોવાથી કોઇ કામ કરી શકતા ન હતા જેથી આ ચિંતાના કારણે ઝેરી દવા પીને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.
જોડીયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા સેવનબાઇ કરણભાઇ મકવાણા (ઉ.વ.૪૭)નું આશરે ત્રણેક મહિના પહેલા એકસીડન્ટ થયુ હતું જેમાં પગમાં ફ્રેકચર આવતા પોતે કોઇ કામ કરી શકતા ન હોય જેના કારણે ચિંતામાં રહેતા હતા.
આ બાબતનું મનમાં લાગી આવતા પોતે ભાગમાં રાખેલ વાડીએ પોતાની મેળે કપાસમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતા ધ્રોલ સરકારી હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં તેણીનું મૃત્યુ નિપજયુ હતું આ બનાવ અંગે કરણ તેજસીંગભાઇ દ્વારા જોડીયા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
***
સર્પદંશ થતા રાજપરાના વૃદ્ધનું મૃત્યુ
ઓખા મંડળના મીઠાપુર તાબેના રાજપરા ગામે રહેતા નથુભા લાલાભા માણેક નામના ૬૦ વર્ષના હિન્દુ વાઘેર વૃદ્ધને રવિવારે તેમની વાડીએ ઝેરી સર્પે દંશ દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર રાણાભા નથુભા માણેકએ મીઠાપુર પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech