કનસુમરા પાસે ચાલુ રીક્ષાએ ચકકર આવતા નાલામાં પટકાયેલા પ્રૌઢનું મોત

  • December 23, 2023 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એકાદ વર્ષથી મગજમાં લોહી પહોચતુ ન હોય માથાનો દુ:ખાવો થતો

જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક પ્રૌઢને એકાએક ચાલુ રિક્ષાએ ચક્કર આવી જતાં પાણીના ખાડામાં પડી ગયા પછી તેઓનું કરુણ મૃત્યુ નીપજયું છે. છેલ્લા એકાદ વર્ષથી પ્રૌઢને મગજમાં લોહી પહોચતુ ન હોય અવાર નવાર માથાનો દુ:ખાવો રહેતો હતો.
જામનગરના બેડી રાસંગપરા વિસ્તારમાં રહેતા અને રીક્ષા ચલાવતા હાજીભાઈ સીદીકભાઈ સાંઘાણી (ઉ.વ.૫૫) રીક્ષા ચાલક પ્રૌઢ, કે જેઓને છેલ્લા એકાદ વર્ષ થી મગજમાં બ્લડ પહોંચતું ન હોય, જેથી તેઓને અવારનવારમાં માથાનો દુખાવો રહેતો હતો, તેમ જ ચક્કર આવતા હતા.
દરમિયાન ગઈકાલે તેઓ કનસુમરા વાડી વિસ્તારમાં એક પાણીના ખાડા પાસેથી રીક્ષા લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન તેઓને ચક્કર આવતાં રીક્ષા સહિત પાણીના ખાડામાં પડી ગયા હતા, અને તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પુત્ર વસીમભાઈ હાજીભાઈ સાંઘાણીએ પોલીસને જાણ કરતાં પંચકોસી બી. ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application