ધ્રોલના છલ્લામાં ખેતમજુર પર વિજવાયર પડતા કરંટથી મૃત્યુ

  • September 16, 2023 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી: પોલીસ દ્વારા કરાતી તપાસ


ધ્રોલના છલ્લા વાડી વિસ્તારમાં પાકમાં પાણી વાળતા ખેતમજુર યુવાન પર વિજવાયર પડતા દાઝી જવાથી કણ મૃત્યુ થયું હતું, પોલીસ દ્વારા બનાવ સંબંધે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.


ધ્રોલ તાલુકાના છલ્લા ગામમાં ભીખુભાની વાડીએ રહેતા અને મુળ એમ.પી.ના કોહા ગામના વતની રેમાભાઇ કનીયાભાઇ મેહડા (ઉ.વ. 36) નામના મજુર યુવાને ભાગમાં રાખેલ વાડીમાં કપાસના પાકમાં પાણી વાળતા હતા, એ વેળાએ અચાનક 11 કે.વી.ની ઇલેકટ્રીક લાઇન ચાલુ હોય, જેનો જીવંત તાર પડતા રેમાભાઇને હાથમાં શોર્ટ લાગતા દાઝી ગયા હતા.


આથી તેઓને ધ્રોલ સરકારી હોસ્પિટલ ખાતે લઇ જતાં જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું, આ બનાવની જાણ જેતરાજ કનીયાભાઇ દ્વારા ધ્રોલ પોલીસમાં કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application