રાજકોટમાં ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ક્રિકેટ મેચ, આજથી ફિઝિકલ ટિકિટનું વેંચાણ

  • September 21, 2023 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આગામી 27મી સપ્ટેમ્બર 2023ના રોજ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક દિવસીય મુકાબલો યોજાવવાનો છે. એક દિવસીય ક્રિકેટ મેચને લઈ ટિકિટના ભાવ પણ જાહેર થઈ ચૂક્યા છે. રૂપિયા 1500થી લઈ 10,000 રૂપિયાની ટિકિટના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આજથી ફિઝિકલ ટિકિટનું વેંચાણ થશે. 


આગામી 18 સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર સુધીથી ઓસ્ટ્રેલિયા ભારતની મુલાકાતે આવવાની છે, ત્યારે 22મી સપ્ટેમ્બરના રોજ મોહાલી ખાતે પ્રથમ વન-ડે મેચ રમાશે. જ્યારે કે 24મી સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે બીજો વન-ડે મેચ રમાશે. ત્રણ એક દિવસીય મેચની શૃંખલાનો અંતિમ મેચ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાવવાનો છે. 


ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે માટે 25 સપ્ટેમ્બરે બંને ટીમ રાજકોટ આવશે. જેમાં ટીમ ઈન્ડિયા સયાજી હોટલ ખાતે રોકાશે જ્યારે ટીમ ઓસ્ટ્રેલિયા ફોર્ચ્યૂન હોટેલ ખાતે રોકાશે. 28 તારીખ સુધી રાજકોટમાં બંને ટીમ રોકાશે. 26 તારીખના રોજ બંને ટીમ ખંઢેરી સ્ટેડિયમ ખાતે નેટ પ્રેક્ટિસ કરશે, તેમજ પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધશે. તેમજ 27મી તારીખના રોજ બપોરના દોઢ વાગ્યાથી બંને દેશની ક્રિકેટ ટીમ વચ્ચે વન-ડે મેચ શરૂ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application