જમીન પચાવી પાડવાની ફરીયાદમાં આરોપીને જામીન મુકત કરતી કોર્ટ

  • April 12, 2023 01:31 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ન્યાલચંદ વીરપાળ શાહ જૈન મહાજન જામનગર વાળાઓએ જામનગર પંચકોશી બી ડીવીઝન પો.સ્ટેમાં આરોપી રીઝવાન નુરાભાઇ ઉર્ફે નુરમામદ મામદભાઇ ખીરાસામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ હેઠળએવી ફીરયાદ નોંધાવેલ કે, ફરીયાદીની સંયુકત નામની ખેતીની જમીન કનસુમરા ગામે ૪૫ વીઘા જેટલી આવેલછે તેમાં બાપ દાદાના સમયથી રહેણાંકના બે મકાન અને સામાન ભરવા માટે વખાર આવેલછેતેજમીન ફરીયાદીના બા જીવીબેન વસવાટ કરતા હતા તેમની તબીયત નાદુરસ્ત થતાંતેઓમુંબઇ મુકામે વસવાટ કરવા માટે ચાલયા ગયેલ અનેત્યાં તેમનું મૃત્યુથયેલ જેથી આ જમીન છેલ્લા ૩૦ વર્ષથી બંધ રાખેલ અનેપ્રસંગોપાત આ જમીનમાં જવાનું થતું અને આઠ માસ પહેલા આરોપી રીઝવાને તાળાતોળી બાંધકામ જુનું તોડી અને નવું બાંધકામ ચાલુ કરી દીધેલ, અનેફરીયાદીના પુત્રને જાણ થતાંતેઓ અટકાવવા જતાં તેમને ધમકીઓ આપેલ જેથી ફરીયાદી દ્વારા આ બાબતની ગેરકાયદેસર જમીનપચાવી પાડેલ હોય અને ગેરકાયદેસર બાંધકામ ચાલુ કરીદીધેલ હોવાની ફરીયાદ કરેલ, આ ફરીયાદમાં આરોપીની અટક કરી અનેજેલ હવાલે કરવામાં આવેલ આવેલ જેથી આરોપી દ્વારા અદાલતમાં જામીન અરજીદાખલ કરવામાં આવેલ. આ તમામ કેસ ઘ્યાને લઇ અને તમામ દલીલો ઘ્યાને લઇ અને આરોપી તરફે થયેલ દલીલો અને રજુઆતો માન્ય  રાખી અને આરોપી રીઝવાન નુરમામદભાઇ ખીરાને જામીન મુકત કરવાનો હુકમ કરેલ, આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા તથા નિતેશ મુછડીયા રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application