'જરૂર પડે તો ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો', વિદેશ રાજ્ય મંત્રીએ ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને કરી અપીલ

  • October 08, 2023 09:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિદેશ રાજ્ય મંત્રી વી.મુરલીધરને ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત રહેવા અને કોઈ મદદની જરૂર હોય તો ત્યાંના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને પહેલાથી જ સૂચના આપવામાં આવી છે. હમાસના હુમલામાં અત્યાર સુધીમાં 350થી વધુ ઈઝરાયેલના નાગરિકોના મોત થયા છે.


ઈઝરાયેલ પર હમાસના આતંકી હુમલામાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આ દરમિયાન વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને રવિવારે ઇઝરાયેલમાં ફસાયેલા ભારતીય નાગરિકોને સલામત રહેવા અને જો તેમને કોઈ મદદની જરૂર હોય તો ત્યાંના ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને પહેલાથી જ સૂચના આપવામાં આવી છે.



ઇઝરાયેલ પર હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય દૂતાવાસે ત્યાં રહેતા લોકો માટે એડવાઈઝરી જારી કરી દીધી છે. ભારતીય દૂતાવાસ દ્વારા એક એડવાઈઝરી જારી કરવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તમામ નાગરિકોએ સતર્ક રહેવું જોઈએ અને જરૂર પડ્યે કોઈ પણ ઈમરજન્સીના કિસ્સામાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરો અને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application