સાધના કોલોનીમાં મૃતકોના પરિવારજનોને સાંત્વના આપતા કોંગ્રેસના આગેવાનો

  • June 27, 2023 01:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોલોનીમાં શુક્રવારે હાઉસીંગ બોર્ડનું એક બિલ્ડીંગ પડતા તેમાં ત્રણના મૃત્યુ થયા હતા અને છ જેટલા લોકો ઘાયલ થયા હતા, આજે કોંગ્રેસના પ્રદેશ કક્ષાના અગ્રણીઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ડો. ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય લલિતભાઇ વસોયા, અમરીશભાઇ ડેર, પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા, ભાજપના પ્રદેશ અગ્રણી ભીખુભાઇ વારોતરીયા, પૂર્વ મંત્રી ડો. દિનેશ પરમાર, જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, વિપક્ષી નેતા ધવલ નંદા, યુવક કોંગ્રેસના ડો. તૌસીફખાન પઠાણ, અસલમ ખીલજી, અલ્તાફ ખફી, આનંદ રાઠોડ, જૈનબબેન ખફી, રંજનબેન ગજેરા, આનંદ ગોહિલ સહિતના શહેર કોંગ્રેસના અગ્રણીઓએ જે લોકો મૃત્યુ પામ્યા તેના પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી હતી અને કોંગ્રેસ આપની સાથે છે એમ જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application