એઇમ્સ રોડ ઉપરના બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરો: મ્યુનિસિપલ કમિશનરનો આદેશ

  • July 17, 2023 05:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બ્રિજ બનતા જામનગર રોડના ટ્રાફિકમાંથી પસાર થયા વગર સીધું જ એઇમ્સ સુધી જઇ શકાશે




રાજકોટ મ્યુનિ.કમિશનર આનદં પટેલએ તાજેતરમાં એઇમ્સ જતા રસ્તા ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્રારા બનાવવામાં આવી રહેલા માઈનોર બ્રિજની ચાલુ કામગીરીની સાઈટ વિઝીટ કરી સમીક્ષા કરી હતી તેમજ કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશ કર્યેા હતો.




એઇમ્સ જતા રસ્તા પર ૩૦ મીટર ડી.પી. રોડ ઉપર .૫.૦૬ કરોડના ખર્ચે બનતા માઈનોર બ્રિજની ચાલુ કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ.કમિશનરએ કહ્યું હતું કે, આ બ્રિજ બનવાથી લોકોને જામનગર પરના ટ્રાફિક પર ગયા વગર જ એઇમ્સ હોસ્પિટલ સુધી જવામાં સરળતા રહેશે. કોન્ટ્રાકટરને કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સુચના આપવામાં આવી હતી.



આ વિઝિટ દરમ્યાન મ્યુનિ. કમિશનર આનદં પટેલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જીનિયર એચ.એમ.કોટક, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, ડી.ઈ.ઈ. પાર્થ પરમાર અને એઇમ્સ રોડ ઉપર બનતા માઈનોર બ્રિજની કામગીરી કરતી એજન્સીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application