પોલીસે ફરિયાદ ન લેતાં અદાલતનો આશરો લઈ ફરિયાદ દાખલ કરી
જામનગર ખાતે લાલવાડીમાં વસવાટ કરતા માલાબેન પરેશભાઈ ઝાલાના પુત્ર શ્યામ ઝાલા કે, જેઓ સી.એ.નો અભ્યાસ કરતા હોય, તેમને પોતાના ઘરે તા. ર૯-૦પ-ર૦ર૩ના રોજ ગળાફાંસો ખાઈ અને આત્મહત્યા કરેલ હતી, ત્યારબાદ જ્ઞાતીના રીતી રીવાજ પુર્ણ થઈ ગયેલ હોય, ત્યારબાદ બિજા પુત્ર જય ઝાલા દ્વારા તેમના માતાને શ્યામે થોડો સમય પહેલા વાત કરેલી હતી કે, વાલ્કેશ્ર્વરનીનગરીમાં રહેતી એક સહઅભ્યાસુ વિધાર્થીની સાથે મિત્રતા હતી અને તે મ્ાિત્રતા વિદ્યાર્થીનીના પિતાને પસંદ ન હતી, તેઓ અવારનવાર ધમકી આપતા હતા અને છ-સાત માસ પહેલા પિતા-પુત્રી ઘરે આવેલા હતા અને ખોટા કેશમાં ફીટ કરવાની ધમકીઓ આપી હતી.
આ વિધાર્થીની વારંવાર શ્યામને ફોન કરતી, તેવી વાત કરતા મરણ જનારનો ફોન ચેક કરતા આ વિધાર્થીનીના અનેક ફોન આવેલા હોવાની હકિક્તો સામે આવેલ, જેથી ગુજરનારની માતા દ્વારા સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એવી હકિક્ત વાળી ફરીયાદ અરજી વિધાર્થીની પીનલ ચીંતલભાઈ વોરા અને ચીતંલભાઈ વોરા સામે પુત્રને આત્મહત્યા કરવા મજબુર ર્ક્યા અંગેની આપેલી. પરંતુ તેમ છતાં તે અંગે પોલીસ દ્વારા કોઈ એફ.આઈ.આર. ન નોંધતા ત્યારબાદ આ ફરીયાદ અરજી ગુજરનારની માતા માલાબેન પરેશભાઈ ઝાલાએ પોલીસ અધિક્ષ્ાક-મુખ્યમંત્રીને ત્થા ગૃહમંત્રીને, આઈ.જી.ને તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ તેમના પુત્રને આ પ્રકારે મૃત્યુ માટે મરવા મજબુર કરવા સંબંધેની એફ.આઈ.આર. પીતા પુત્રી સામે દાખલ કરી અને ન્યાય અપાવવા રજુઆતો કરેલ હતી.
તેમ છતાં પોલીસ દ્વારાઆ પિતા પુત્રી સામે કોઈ એફ.આઈ.આર. ન નોંધાતા, ગુજરનારના માતા દ્વારા ચીફ જયુડી. મેજી. કોર્ટમાં ચીંતલભાઈ વોરા ત્થા તેમની પુત્રી પીનલ ચીંતલભાઈ વોરા, રે.વાલ્કેશ્ર્વરીનગરી, જામનગર વાળાઓ સામે તેમના પુત્રને આત્મહત્યા કરવા મજબુર કરવા અંગે એફ.આઈ.આર. નોંધવા માટે ફરીયાદ દાખલ કરેલ, જે ફરીયાદ અન્વયે ચીફ કોર્ટ દ્વારા ફરીયાદીની લેખીત ફરીયાદ અંગે પોલીસ દ્વારા શું કાર્યવાહીઓ કરવામાં આવેલ છે...? તે અંગે રીપોર્ટ મંગાવવાનો હુકમ કર્યો છે.
આ કેશમાં ગુજરનારના માતા ફરીયાદી માલાબેન પરેશભાઈ ઝાલા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર. નાખવા ત્થા નિતેષ્ા મુછડીયા રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech