સમાજ વાડીની બાજુમાં પ્લોટમાં રમતા છોકરાઓ પર પથ્થરના ઘા કર્યા...
ભાણવડમાં આવેલી પટેલ સમાજની વાડીની સામેની સાઈડમાં રહેણાંક મકાન ધરાવતા ધીરજલાલ તુલસીદાસભાઈ પરમાર દ્વારા પટેલ સમાજમાં યોજાતા સામાજિક પ્રસંગો દરમિયાન આવતા મહેમાનો તેમજ બહેનોની હાજરીમાં અવારનવાર ખૂબ જ ખરાબ વર્તન કરી અને અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવતો હોવા અંગેની ફરિયાદ જ્ઞાતિની સમાજની વાડીના પ્રમુખ દિપુલભાઈ મૂળજીભાઈ હિરાણી (ઉ.વ. 48, રહે. શિવમ પાર્ક ભાણવડ) દ્વારા ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આટલું જ નહીં, ઉપરોક્ત શખ્સ દ્વારા સામાજિક પ્રસંગમાં વિક્ષેપ કરવા સાથે સમાજ વાડીના સી.સી. ટી.વી. કેમેરામાં પથ્થરના ઘા મારીને સમાજ વાડીના દરવાજાને પગ વાટે માર મારી, નુકસાની કર્યાની તેમજ સાર્વજનિક પ્લોટના દરવાજામાં પથ્થર મારી પ્લોટમાં નુકસાની કરવા તેમજ આ પ્રકરણના સાહેદો સાથે અશોભનીય શબ્દ પ્રયોગ ઉચ્ચારીને ડખ્ખો કરવામાં આવતો હોવાનું પણ આ ફરિયાદમાં જાહેર થયું છે.
આ સાથેની અન્ય એક ફરિયાદ ઉમિયાજી પાર્ક વિસ્તારમાં રહેતા હરેશભાઈ કાંતિલાલ સુતરીયા નામના 48 વર્ષના વેપારી યુવાન દ્વારા ધીરજલાલ પરમાર સામે કરવામાં આવી છે. આ ફરિયાદમાં જણાવાયા મુજબ ફરિયાદી હરેશભાઈ તેમજ અન્ય આસામીના બાળકો સમાજ વાડીની બાજુમાં આવેલા સાર્વજનિક પ્લોટમાં રમતા હતા, તે દરમિયાન આરોપી ધીરજલાલે ત્યાં આવીને છોકરાઓ સાથે ખરાબ વર્તન કરી, ડરાવીને પથ્થરને છુટા ઘા કરી, છોકરાઓને ત્યાંથી રમતા ભગાડી દીધા હતા. આ ઉપરાંત સાર્વજનિક પ્લોટના દરવાજામાં પથ્થર મારી અને પ્લોટમાં નુકસાની પણ કરી હતી.
ઉપરોક્ત બંને બનાવ સંદર્ભે ભાણવડ પોલીસે આરોપી ધીરજલાલ તુલસીદાસ પરમાર સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ આર.એન. ગોજીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech