કલ્યાણપુરની પરિણીતાને ત્રાસ આપવા સબબ પોરબંદરના સાસરિયાઓ સામે રાવ

  • June 02, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે હાલ રહેતી અને ચનાભાઈ ઉકાભાઇ ઓડેદરાની ૨૬ વર્ષની પરિણીત પુત્રી સમજુબેન કેશુભાઈ ગોઢાણીયા કે જેમણે ફક્ત સાત ધોરણ સુધી જ અભ્યાસ કર્યો હતો. તેમના પોરબંદર તાલુકાના ખાંભોદર ગામે રહેતા પતિ કેશુભાઈ રામભાઈ ગોઢાણીયા એન્જિનિયર હોય અને તેમને વિદેશ જવાનું હોવાથી તેઓ પોતાના પત્ની સમજુબેનને સાથે લઈ જવા માંગતા ન હતા. આ સાથે સમજુબેનના સસરા રામભાઈ અરજણભાઈ ગોઢાણીયા તથા સાસુ વાલીબેન રામભાઈ ગોઢાણીયાને પણ તેણી જોઈતી ન હોય, જેથી ઘરેથી કાઢવા કાઢી મુકવા માટે તેણીને છેલ્લા ઘણા સમયથી નાનીનાની વાતોમાં મેણાટોણા મારી દુ:ખ-ત્રાસ આપવામાં આવતો હોવાનું ખુલવા પામ્યું છે.
આટલું જ નહીં, ફરિયાદી સમજુબેન બીમાર હોય, તેણીની દવા પણ તેઓ કરાવતા ન હોવા ઉપરાંત તેને માવતરે મૂકી જતા આ સમગ્ર પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે પરીણિતાના પતિ તથા સાસુ-સસરા સામે સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application