જામનગરમાં પરિણીતાને આપઘાતની દુષ્પ્રેરણા આપ્યાની પતિ-સાસુ સામે ફરિયાદ

  • November 01, 2023 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના માધવ બાગ ખાતે રહેતી પરિણીતાને આપઘાતની દુષ્પ્રેરણા આપ્યાની મૃતકના પતિ અને સાસુ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ખંભાળીયાના વાડીનાર ધાર ખાતે રહેતા અર્જુનસિંહ સાહેબજી વાઢેર (ઉ.વ. ૩૧) નામના યુવાને સીટી સી ડીવીઝનમાં જામનગરમાં સાંઢીયા પુલ, માધવ બાગ, બ્લોક નં. ૭૭/એચ, ખાતે રહેતા પતિ શકિતસિંહ ગંભીરસિંહ પરમાર, સાસુ જસદણ તાલુકાના વીંછીયા ગામના પ્રકાશબા ગંભીરસિંહ પરમારની વિરુઘ્ધ આઇપીસી કલમ-૪૯૮ (ક), ૩૦૬, ૧૧૪ મુજબ ફરિયાદ નોંધાવી હતી.
વિગત અનુસાર ફરિયાદીના બહેન મરણ જનાર ધર્મિષ્ઠાબા (ઉ.વ.ર૬) ને તેના પતિ અને સાસુ અવારનવાર કરીયાવર ઓછો લાવી છું, તેમ કહીને મેણાટોણા મારી દુ:ખ ત્રાસ આપતા હતા, મારકુટ કરતા હતા, આ ત્રાસના કારણે તેણીને મરી જવા માટે મજબુર કરતા તેણીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application