ભારતના ચીફ (CJI) DY ચંદ્રચુડે શનિવારે કહ્યું કે ન્યાયાધીશોની ભગવાન સાથે સરખામણી કરવી અયોગ્ય છે, કારણકે ન્યાયાધીશોની જવાબદારી સામાન્ય લોકોના હિતમાં કામ કરવાની છે. CJI ચંદ્રચુડે નેશનલ જ્યુડિશિયલ એકેડમીની પ્રાદેશિક પરિષદને સંબોધિત કરતા કહ્યું કે અમને ઘણીવાર ઓનર અથવા લોર્ડશિપ અથવા લેડીશિપ તરીકે સંબોધવામાં આવે છે. જ્યારે લોકો કોર્ટને ન્યાયનું મંદિર કહે છે ત્યારે આમાં મોટો ખતરો છે કેમકે લોકો જજને એ મંદિરોમાં બેઠેલા ભગવાન માને છે.
'ભગવાન સાથે ન્યાયાધીશોની સરખામણી કરવી અયોગ્ય છે'
સીજેઆઈએ કહ્યું કે જ્યારે તેમને કહેવામાં આવે છે કે કોર્ટ ન્યાયનું મંદિર છે, તો તેઓ કંઈ પણ કહી શકતા નથી, કારણ કે મંદિરનો અર્થ એ છે કે ન્યાયાધીશ ભગવાનનું સ્થાન છે. તેમણે કહ્યું, "હું કહેવા માંગુ છું કે ન્યાયાધીશોનું કામ લોકોની સેવા કરવાનું છે અને જ્યારે તમે તમારી જાતને એક એવા વ્યક્તિ તરીકે જોશો કે જેનું કામ લોકોની સેવા કરવાનું છે, ત્યારે તમારામાં અન્યો પ્રત્યે કરુણાની ભાવના અને પક્ષપાતથી મુક્ત ન્યાય કેળવશો. "
CJIએ બંધારણીય નૈતિકતાનો કર્યો ઉલ્લેખ
ચીફ જસ્ટિસે કહ્યું કે ફોજદારી કેસમાં પણ સજા સંભળાવતી વખતે ન્યાયાધીશ સંવેદનશીલતા સાથે આવું કરે છે, કારણકે આખરે તો માણસને સજા સંભળાવવામાં આવે છે. તેમણે કહ્યું કે એટલે જ હું માનું છું કે બંધારણીય નૈતિકતાની આ વિભાવનાઓ માત્ર સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશો માટે જ નહીં, પરંતુ જિલ્લા સ્તરના ન્યાયાધીશો માટે પણ મહત્વપૂર્ણ છે. કારણકે સામાન્ય લોકો સાથે પ્રથમ ક્રિયાપ્રતિક્રિયા હોય છે. ન્યાયતંત્ર સાથે સંપર્ક જિલ્લાની ન્યાય પ્રણાલી સાથે શરૂ થાય છે.
મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે પણ ન્યાયતંત્રની કામગીરીમાં ટેકનોલોજીના મહત્વ પર ભાર મૂક્યો હતો. CJI ચંદ્રચુડના મતે સામાન્ય લોકો માટે નિર્ણય સુધી પહોંચવામાં અને સમજવામાં ભાષા સૌથી મોટી અવરોધ છે. તેમણે કહ્યું કે ટેક્નોલોજી કેટલીક બાબતોનો ઉકેલ આપી શકે છે. મોટાભાગના ચુકાદાઓ અંગ્રેજીમાં લખવામાં આવે છે. ટેક્નોલોજીએ અમને તેનો અનુવાદ કરવામાં સક્ષમ બનાવ્યા છે. અમે 51 હજાર ચુકાદાઓને અન્ય ભાષાઓમાં અનુવાદિત કરી રહ્યા છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech