નકલી સ્કૂલ કૌભાંડમાં કમિટીની બનાવાઈ: ડીઇઓ તપાસ કરશે

  • July 08, 2024 12:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ નજીક પીપળીયા ગામે ધમધમતી નકલી સ્કૂલમાં હવે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તપાસ શરૂ કરાશે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલના નેતૃત્વ હેઠળ તાલુકા શિક્ષણ અધિકારી અને તેમની ટીમ દ્વારા ડાયેસ રજીસ્ટ્રેશન ના આધારે બાળકોનું ટ્રેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાંથી 10 બાળકોના નામ ટ્રેકિંગ ના આધારે મળ્યા છે જ્યારે અન્ય 19 બાળકો માટે કાર્યવાહી ચાલી રહી છે.
આ દરમિયાન નકલી સ્કૂલ પ્રકરણમાં એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી દ્વારા પીપરીયા તેમજ આજુબાજુના ગામોમાં જઈ બાળકોના વાલીઓને મળી નિવેદન લઈ રહી છે. આ કમિટીમાં વાલીઓના નિવેદન લેવા માટે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, બીઆરસી સહિતના અધિકારીઓ પીપળીયા પહોંચ્યા છે અને જ્યાં નિવેદન લેવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત રાજકોટની જે ત્રણ સ્કૂલના સર્ટિફિકેટ મળ્યા છે જેમાં નક્ષત્ર, અક્ષર અને રાધાકૃષ્ણ સ્કુલની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પીપળીયા ગામમાં એલકેજી થી ધોરણ 10 સુધીના વર્ગની આખી સ્કૂલ ગેરકાયદેસર ધમધમતી હતી.
હવે આ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં અભ્યાસ માટે બેસાડવામાં આવશે પરંતુ તે પહેલા જે બાળકોના નામ ડાયેસમાં રજીસ્ટ્રેશન કરવામાં આવશે જેથી કરીને તે બાળકો જ્યાં સુધી ભણે જ્યાં સુધી નામ ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ જશે.
ધોરણ આઠ સુધીની કાર્યવાહી પ્રાથમિક શિક્ષણ અધિકારી કરી રહ્યા છે જ્યારે ધોરણ 9- 10 માટેની કાર્યવાહી જિલ્લા શિક્ષણ અધિકારી નિલેશ રાણીપા દ્વારા કરવામાં આવશે. ગોરી સ્કૂલના સંચાલક દંપતિ સામે નોંધવાની તજવીજ પણ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application