માધાપર અને કણકોટમાં થયેલા દબાણો તાત્કાલિક દૂર કરવા કલેકટરનો આદેશ

  • May 16, 2024 03:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માધાપર સર્વે નંબર ૧૧૧ ની અને કણકોટમા આવેલી એન્જિનિયરિંગ કોલેજ પાસેની સરકારી ખરાબાની જમીનમાં વ્યાપક પ્રમાણમાં દબાણો જોઈને ચોકી ઉઠેલા રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ આ બંને દબાણો તાત્કાલિક તોડી પાડવાની કામગીરી કરવા માટે સંબંધિત પ્રાંત અધિકારીઓને સૂચના આપી છે.

પત્રકારો સાથેની વાતચીતમાં કલેકટરે જણાવ્યું હતું કે આ બંને દબાણો ઉપરાંત રાજકોટ જિલ્લામાં યાં પણ સરકારી જમીનમાં દબાણો થયા છે તે દૂર કરવા, દબાણ કરનાર વ્યકિતઓને નોટિસ આપવા અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે.

કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે થોડાક દિવસો પહેલા તમામ પ્રાંત અધિકારીઓ સાથે મીટીંગ યોજવામાં આવી હતી અને તેમાં પણ મેં સરકારી ખરાબ ની જમીનનું રેગ્યુલર નિરીક્ષણ કરવા અને દર ૧૫ દિવસે ફેરણી કરવા માટેની સૂચના આપી છે

દોઢ મહિના પછી કાલે લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક: ૧૦૦થી વધુ કેસ
ચૂંટણીના કારણે છેલ્લા દોઢે કા મહિનાથી ન યોજી શકાયેલી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક આવતીકાલે બપોરે ૦૩:૦૦ વાગે મળનારી છે અને તેમાં ૧૦૯થી વધુ કેસ મૂકવામાં આવ્યા છે. લેન્ડ ગેબીગને લગતા ૧૫૦ જેટલા કેસ પેન્ડિંગ છે

તા.૨૪ના રેવન્યુ ઓફિસરોની બેઠક
આગામી તારીખ ૨૪ ના રોજ રેવન્યુ ઓફિસરોની બેઠક કલેકટરે બોલાવી છે. બેઠક પહેલા જ તમામ પ્રાંત અધિકારીઓ, ડેપ્યુટી કલેકટરો સહિતના અધિકારીઓને મહેસુલને લગતા મહત્વના મુદ્દાઓ પર અને તેની કામગીરી પર વધુ ફોકસ કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને દબાણના મુદ્દે વધુ ધ્યાન આપવા જણાવાયું છે

બહુમાળી ભવનમાં જરૂર પડયે વધારાના કાઉન્ટર ખોલાશે
બહુમાળી ભવનમાં જાતિના અને નોન ક્રિમિલેયરના દાખલાઓ મેળવવા માટે અરજદારોને પડતી મુશ્કેલી નિવારવા માટે કલેકટરે ગ્રામ્ય પ્રાંત અધિકારીને તપાસ કરી જર પડીયે વધારાના કાઉન્ટર ખોલવા સૂચના આપી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application