મોતીતળાવમાં મહાનગર પાલિકા તંત્રનું સ્વચ્છતા અભિયાન

  • December 05, 2023 04:02 PM 

વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ નું ગઈકાલે સમાપન થયાની સાથે જ આજે મંગળવારે સવારથી જ મ્યુ.તંત્ર દ્વારા કુંભારવાડા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. કમિશનરની આગેવાની નીચે મહાપાલિકાના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચાઓનો કાફલો ૫ ક્રેઈન,૩ જેસીબી તેમજ ૮ ટ્રક-ટ્રેક્ટર સહિતના સાધન-સામગ્રી સાથે મોતીતળાવમાં ત્રાટક્યો હતો. અને વીઆઈપી વિસ્તારમાં ડેલા બહાર આડેધડ પડેલા અલંગના ભંગાર સહિતનો ૧૨ ટ્રક-ટ્રેક્ટર ભરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.


મહાપાલિકા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ગઈકાલે પૂર્ણ થતાની સાથે જ આજે મહાપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કમિશનર ઉપાધ્યાયની આગેવાની સાથે મહાનગરપાલિકાના તમામ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો ૫ ક્રેઈન,૩ જેસીબી અને ટ્રક-ટ્રેક્ટર સહિતના સાધન-સામગ્રી સાથે કુંભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં વ્હેલી સવારથી ત્રાટક્યો હતો. અને સૌપ્રથમ વીઆઈપીમાં ડેલા બહાર આડેધડ રીતે પડેલો અલંગનો સામાન તેમજ ભંગાર મળી બપોર સુધીમાં ૧૨ ટ્રક-ટ્રેક્ટર ભરી જપ્ત કરવામાં આવ્યો હતો. ભારે ટ્રાફિકવાળા મોતીતળાવ વિસ્તારમાં મહાપલીકાનો કાફલો ત્રાટકી દબાણ હટાવ અને સફાઈ સહિતની કાર્યવાહી હાથ ધરાતા લોકોના ટોળા ઉમટ્યા હતા. તો કમિશનરની સીધી દેખરેખ હેઠળ દબાણ હટાવની કાર્યવાહીથી દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી. વ્હેલી સવારથી હાથ ધરવામાં આવેલી કામગીરીમાં અનેક દબાણો દૂર કરી રોડ રસ્તા અને સરકારી જગ્યા મનપા દ્વારા ખુલ્લી કરાઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application