પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. પાકિસ્તાનના સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે બુધવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મુખ્ય સરહદ પર ગોળીબાર થયો હતો, ત્યારબાદ અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદ બંધ કરી દેવામાં આવી છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જોડતી તોરખમ બોર્ડર પર ગોળીબારના અવાજો સંભળાયા હતા.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે. પાકિસ્તાનના સુરક્ષા સૂત્રોએ જણાવ્યું કે બુધવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મુખ્ય સરહદ પર ગોળીબાર થયો હતો, ત્યારબાદ અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદ બંધ કરી દેવામાં આવી છે.
ફાયરિંગનો અવાજ સાંભળીને લોકોમાં અફરા-તફરીનો માહોલ
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને જોડતી તોરખમ બોર્ડર પર ગોળીબારના અવાજો સંભળાયા હતા. તેણે જણાવ્યું કે ફાયરિંગનો અવાજ સાંભળીને ત્યાં હાજર લોકોમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ ઘટના બાદ તોરખમ બોર્ડર બંધ કરી દેવામાં આવી છે.
તાલિબાન અને પાકિસ્તાનના સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર
એક સુરક્ષા અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને જણાવ્યું કે તાલિબાન અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે ગોળીબાર થયો હતો. જો કે આ ફાયરિંગમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
તોરખામ બોર્ડરને અગાઉ પણ કરવામાં આવી હતી બંધ
બંને દેશોના નાગરિકો તોરખમ બોર્ડર પરથી અવર-જવર કરી રહ્યા છે. જો કે તેમ છતાં બંને દેશો વચ્ચે ઘણા વિવાદોને કારણે આ સરહદ બંધ કરવી પડી હતી. આ પહેલા આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ તોરખામ બોર્ડર બંધ કરી દેવામાં આવી હતી. જેના કારણે સરહદની બંને તરફ હજારો ટ્રકો ફસાઈ ગઈ હતી. બંને પક્ષો તરફથી કયા કારણોસર ગોળીબાર થયો તે હાલમાં જાણી શકાયું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech