નીતિના વડાપ્રધાનના કાર્યક્રમને લઇને આદેશ
મોહર્રમ પર્વની જાહેર રજા હોય છે અને સરકારી કચેરીઓથી લઇને સ્કુલ, કોલેજો સહિત તમામ શૈક્ષણીક સંસ્થાઓમાં પણ રજા હોય છે, પરંતુ આજે મોહર્રમની જાહેર રજાના દિવસે પણ તમામ સ્કુલો ચાલુ રાખવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી વિગત મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિને ૩ વર્ષ પુરા થતા હોય એ નિમીતે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉધોગ સાહસીકતા સહયોગ થકી અખીલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમનું આયોજન થનાર છે અને વડાપ્રધાન દ્વારા ૨૯ જુલાઇના રોજ ઇન્ડીયા ટ્રેન્ડ પ્રમોશન ઓર્ગેનાઇઝેશન દિલ્હી ખાતે આ કાર્યક્રમ શરુ કરવામાં આવનાર હોય ઉદઘાટન બાદ શાળા શિક્ષણના ચાર સેશન સહિત કુલ ૧૬ વિષયલક્ષી સેશન ૨૯ અને ૩૦ જુલાઇના રોજ યોજાનાર છે. વિધાર્થીઓ અને શિક્ષકો આ તમામ સેશનનું જીવંત પ્રસારણ નિહાળી શકે તે માટે તમામ સ્કુલો ચાલુ રાખવા સુચના આપવામાં આવી હતી. અને આ અંગેની વિગતોનો રિપોર્ટ આપવા પણ ડીઇઓને આદેશ કરવામાં આવ્યો છે.
આજે મોહર્રમની જાહેર રજાના દિવસે પણ તમામ સ્કુલો ચાલુ રાખવાના પરિપત્ર આવતા ચર્ચાઓ જાગી હતી. કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલી સુચનાના પગલે કમિશ્નર ઓફ સ્કુલ કચેરી દ્વારા તમામ ડીઇઓને તા. ૨૯મીએ સ્કુલો ચાલુ રાખવા આદેશ કર્યા છે જો કે તેમાં બેદરકારી સામે આવી છે, કેન્દ્ર સરકારનો આ બાબતનો પત્ર મહત્વનો હોય, ૨૪મીએ આવ્યો હોવા છતા કમિશ્નર કચેરી દ્વારા તમામ ડીઇઓને ગઇ મોડી સાંજે સ્કુલો છુટયા બાદ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech