અરુણાચલ નજીક ચીનની નવી ચાલ... ભારતની સરહદથી માત્ર 20 કિમી દૂર હેલિપોર્ટ બનાવ્યું

  • September 19, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એ વાતથી કોઈ અજાણ નથી કે ચીને ભારતીય સરહદ પાસે સેંકડો મોડલ ગામો સ્થાપ્યા છે. એમાંની કેટલીક જગ્યાઓ એવી છે જેને અન્ય દેશો તેમના વિસ્તારો પણ કહે છે. સામાન્ય નાગરિકોની આ વસાહત બેઇજિંગ માટે આંખ અને કાનનું કામ કરે છે. તેના આધારે ચીન પોતાની તાકાત વધારી રહ્યું છે. સરહદ પર આવશ્યક સામાન મોકલે છે.


હવે ચીને પોતાની સુરક્ષા વધારવા માટે ભારત-ચીન બોર્ડર પાસે હેલિપોર્ટ બનાવ્યું છે. આ ફિશટેલ ઝોન છે, એટલે કે ભારત અને ચીન વચ્ચેના સૌથી વિવાદિત સ્થળોમાંનું એક.


અમેરિકન કંપની પ્લેનેટ લેબ્સે તાજેતરમાં સેટેલાઇટ ફોટા લીધા છે. જેમાં અરુણાચલ પ્રદેશના ફિશટેલ સેક્ટર પાસે 600 મીટર લાંબો રનવે જોવા મળ્યો હતો. ઘણા હેંગર જોવા મળ્યા. ચીન અહીં નવું હેલીપોર્ટ બનાવી રહ્યું છે. તેનો અર્થ એ કે હુમલા અને સર્વેલન્સ હેલિકોપ્ટર માટેનું એરપોર્ટ તૈયાર કરી રહ્યું છે.


ડિસેમ્બર 2023માં આ સ્થાન પર કોઈ બાંધકામ થયું ન હતું. પરંતુ જ્યારે સેન્ટીનેલ હબની ઓપન સોર્સ સેટેલાઈટ ઈમેજીસની તપાસ કરી તો જાણવા મળ્યું કે 16 સપ્ટેમ્બર, 2024 સુધીમાં આ જગ્યાએ એડવાન્સ લેવલનું બાંધકામ થઈ ગયું છે. બાંધકામ 1 ડિસેમ્બર, 2023 ના રોજ અથવા તેના પછી ટૂંક સમયમાં શરૂ થયુ હતું. જે જાન્યુઆરી 2024થી ફુલ સ્પીડથી તેનું કામ શરૂ થયું.


આ હેલીપોર્ટ તિબેટના નિંગચીમાં જયુ કાઉન્ટીની ગોંગરીગાબુ કી નદી પાસે બનાવવામાં આવી રહ્યું છે. તે ભારતીય સરહદથી માત્ર 20 કિલોમીટર દૂર છે. ભારત માટે આ ખૂબ જ ચિંતાનો વિષય છે.


ઓપન સોર્સ રિસર્ચર ડેમિયન સિમોનનું કહેવું છે કે ચીનને આ પોર્ટથી ફાયદો થશે કે તે પોતાના સૈનિકોને ફોરવર્ડ પોસ્ટ્સ પર સરળતાથી લઈ જઈ શકશે. આ ઉપરાંત આ સરહદ પર પેટ્રોલિંગને સરળ બનાવશે.


ચાંગલામ વિસ્તાર, જેને ફિશટેલ કહેવામાં આવે છે, તે અરુણાચલ પ્રદેશના પૂર્વ ખૂણામાં છે. અહીં મોટાભાગે હિમનદીઓ છે. અહીં બંને બાજુથી પેટ્રોલિંગ ખૂબ જ જટિલ છે. ત્યાં પેટ્રોલિંગ ખુબ ઓછું છે અને તે દૂરથી થાય છે પરંતુ આ વિસ્તારમાં ચીની સૈનિકો દ્વારા ઘૂસણખોરી વારંવાર કરવામાં આવે છે.


ફિશટેલ-1 દિબાંગ વેલીમાં છે. ફિશટેલ-2 અંજોવ જિલ્લામાં છે. સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીઝના ડાયરેક્ટર જનરલ મેજર જનરલ (ડૉ.) અશોક કુમારના જણાવ્યા અનુસાર આ જગ્યા ખૂબ જ સંવેદનશીલ છે. LACને લઈને બંને દેશો વચ્ચે ઘણા મતભેદો છે. પોત-પોતાની ધારણા છે.


કારગિલ યુદ્ધમાં લડેલા મેજર જનરલ અશોકે કહ્યું કે આવી જગ્યાઓ પર હેલીપોર્ટ બનાવવાના બે ફાયદા છે. પ્રથમ, પોતાની સલામતી સુનિશ્ચિત કરવી અને ભવિષ્યના સંઘર્ષમાં મદદ કરવી. ચીન પોતાના અંતરિયાળ દેશમાંથી હાન સમુદાયની વસ્તીને લાવીને આ પર્વતો પર વસાવી રહ્યું છે. જેથી કરીને અહીંની ડેમોગ્રાફી બદલી શકાય.


વિદેશ મંત્રી એસ. જયશંકરે 12 સપ્ટેમ્બરે કહ્યું હતું કે ચીન સાથેના તમામ વિવાદોમાંથી 75 ટકા ઉકેલાઈ ગયા છે પરંતુ ઘણી બાબતો હજુ પેન્ડીંગ છે. જેના કારણે ચીન સરહદ પર સૈન્ય તાકાત વધારી રહ્યું છે. 2020માં એવું થયું કે અનેક પ્રકારના કરારો તોડવામાં આવ્યા. તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.


જયશંકર ગલવાન સંઘર્ષની વાત કરી રહ્યા હતા. જેમાં એક કર્નલ સહિત 20 ભારતીય જવાનો શહીદ થયા હતા. ચાર ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા. બંને પક્ષો સહમત થયા છે કે બાકીના વિસ્તારોમાં કોઈ સંઘર્ષ ન થવો જોઈએ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે સરહદ પર શાંતિ જાળવવા અને LACનું સન્માન જાળવવાની પણ વાત કરી છે.


મેજર જનરલ અશોક કુમારનું કહેવું છે કે આવી ઘટનાઓ પર નજર રાખવી ભારત માટે ફાયદાકારક રહેશે. ઉપરાંત  સરહદ પર આ પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વિકસાવો. તેના જવાબમાં ભારત વાઇબ્રન્ટ વિલેજ યોજનાને ઝડપથી આગળ વધારી શકે છે. તેમાં અરુણાચલ પ્રદેશ પણ સામેલ છે. ચીન સાથેની અન્ય સરહદો પર પણ આવું જ થવું જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application