જામનગર ના ૭૯- વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી કે જેઓએ એ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના અતિ મહત્વના કુપોષણ મુક્ત અભિયાન અંતર્ગત જામનગર શહેરના અતી કુપોષિત બાળકોને પોષીત કરવાના અભિયાન ને આગળ ધપાવવાના ભાગરૂપે પોતાના જન્મદિન નિમિત્તે શહેરના આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા ૨૫૧ અતિ કુપોષિત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા, જે પૈકીના ૨૩૦ બાળકોને પોષિત બનાવવામાં મહત્વની સફળતા સાંપડી હતી. એટલુંજ માત્ર નહીં, તેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વધુ ૧૩૪ અતિ કુપોષિત બાળકોને દતક લીધા હતા, અને કુલ ૧૫૫ બાળકોની સાર સંભાળ ની જવાબદારી સ્વીકારી હતી.
જે અતિ કુપોષિત બાળકોને આજે સતત દસમા મહિને પણ પોષણક્ષમ કિટ આપવામાં આવી હતી. હાલ વર્તમાન સંજોગોમાં ઋતુમાં બદલાવ આવ્યો છે, ત્યારે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા તબીબોનો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને તેઓની સલાહ મુજબ કીટમાં ફેરફાર કરીને શિયાળાની ઋતુને અનુરુપ ચીજ વસ્તુઓનો ઉમેરો કરીને નવી કીટ તૈયાર કરી તેનું વિતરણ કરવામાં આવ્યું છે, અને બાળકોને પોષિત કરવા માટેના અભિયાનને વધુ વેગવંતુ બનાવાયું છે.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દ્વારા ઘેર ઘેર જઈ પ્રતિ મહિને પોષણક્ષમ કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, અને ઓક્ટોબર માસ સુધી સતત ૧૦માં મહિને પ્રત્યેક બાળકોની જાતેજ સાર સંભાળ રાખવામાં આવી રહી છે, અને તેઓની વ્યક્તિગત મુલાકાત અને પોષણક્ષમ કીટ વગેરેનું વિતરણ કર્યા પછી, અને બાળકોના વાલીઓ સાથે પરામર્શ કર્યા પછી અતિ કુપોષિત બાળકોને પોષિત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે, જેને સફળતા સાંપડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech