ધનુર્માસ ઉત્સવ અંતર્ગત ઠાકોરજીના દર્શનના સમયમાં ફેરફાર

  • December 11, 2023 12:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યાત્રાધામના દ્વારકાધીશ જગતમંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનુર્માસ દર્શન મનોરથના કાર્યક્રમો યોજવામાં આવશે. હિન્દુ કેલેન્ડર અનુસાર માગસર મહિનામાં સૂર્ય ધન રાશિમાં રહેતો હોય, ધનુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. જગતમંદિરના વહીવટદારના જણાવ્યાનુસાર મંદિરના વારાદાર પૂજારીઓ દ્વારા ધનુર્માસના ઉત્સવો દરમ્યાન ઠાકોરજીના દર્શનના સમયમાં જરૂરી ફેરફાર નોંધાયો છે.
દ્વારકા જગતમંદિરમાં દરરોજ સ્થાનિક તથા બહારગામથી મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજ દર્શનાર્થે આવતો હોય છે. તેમને સુચારૂરૂપે દર્શન થાય તેવા ઉમદા હેતુથી જગતમંદિરનો વહિવટ કરતી દેવસ્થાન સમિતિ દ્વારા આવતા દિવસોમાં આવનાર ધનુર્માસ ઉત્સવ દરમિયાન શ્રીજીના દર્શનમાં થવાના ફેરફારનો સમય દર્શાવવામાં આવેલ છે.
જેમાં તા. ર૧-૧૨ ના મંગળવારના ચાતુર્માસના રોજ મંગલા આરતી સવારે પ.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે ઉત્થાપન સાંજે ૫.૦૦ કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.જયારે તા. ૨૮.૧૨ના ગુરૂવારના ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે ઉત્થાપન સાંજે ૫.૦૦ કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.
તા. ૦૪.૦૧ ના મંગળવારના ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે ઉત્થાપન સાંજે ૫.૦૦ કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે. તા. ૦૯.૦૧ના મંગળવારના ધનુર્માસના રોજ મંગલા આરતી સવારે ૫.૩૦ કલાકે, અનોસર (મંદિર બંધ) ૧૦.૩૦ કલાકે ઉત્થાપન સાંજે ૫.૦૦ કલાકે તથા ત્યાર બાદનો કાર્યક્રમ રાબેતા મુજબનો રહેશે.આ ધનુર્માસ ઉત્સવ દરમિયાન જગતમંદિરનો દર્શનનો સમય રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application