કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (માર્કેટિંગ યાર્ડ) ના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજે બિનહરીફ વરણી થઇ છે.કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની તાજેતર માં યોજાયેલ ચૂંટણીમાં માં ભા.જ. પ ના તમામ ડિરેક્ટરોની બિન હરીફ વિજેતા થયા બાદ આજ રોજ માર્કેટયાર્ડ ખાતે ના હોલ માં રાજકોટ જિલ્લ ા રજીસ્ટ્રાર વિશાલ કપુરિયા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રથમ ટર્મની ચેરમેન વાઇસચેરમેનની ચૂંટણી માં ચૂંટાયેલા તમામ ૧૬ ડિરેક્ટરોએ હાજર રહી ચૂંટણીની કાર્યવાહી આગળ ધપાવતા ચેરમેન તરીકે સુભાષભાઈ વિરભણભાઈ ડોડીયાના નામની દરખાસ્ત કનુભાઈ નારણભાઈ લાખણોત્રા એ કરતા જેને બાલુભાઈ કાનાભાઈ કામળિયા એ ટેકો આપ્યો હતો જ્યારે વાઇસ ચેરમેન તરીકે વાઢેર ભીખાભાઈ મેરૂભાઈના નામની દરખાસ્ત જગમાલભાઇ વરસીંગભાઇ બારડએ કરતા તેને શૈલેષભાઈ રાણાભાઇ વાઘેલાએ ટેકો આપતા હાજર ડિરેક્ટરોએ સર્વસંમતિ દર્શવતા અને આ બંને હોદ્દા માટે અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ના ભરતા જિલ્લ ા રજિસ્ટર કપુરીયાએ ચેરમેન પદ માટે સુભાષ ભાઈ વિરભણભાઈ ડોડીયા અને વાઇસ ચેરમેન તરીકે વાઢેર ભીખાભાઈ મેરૂભાઈ ને બિનહરીફ જાહેર કરતાં તમામ ડિરેકટરો દરેક સહકારી સંસ્થાના આગેવાનો સમાજના અગ્રણીઓએ તેમને આવકારી શુભેચ્છા પાઠવી હતી આ તબક્કે કોડીનાર ના ધારાસભ્ય ડો.પ્રદ્યુમન વાજા અને શહેર ભા.જ.પ પ્રમુખ હરિભાઈ વિઠ્ઠલાણી, યુનિયન બેંક ચેરમેન પી.એસ.ડોડીયા કોડીનાર તાલુકા ભાજપના હોદ્દેદારો સહિત તાલુકા ભર ના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે સતત ત્રીજી વખત ચેરમેન પદે બિનહરીફ હરીફ ચૂંટાયેલા સુભાષભાઈ ડોડીયા એ મીડિયા ના માધ્યમ થી સર્વે ખેડૂતો ને સંબોધિત કરતા કહ્યું હતું કે હાલ કોડીનાર માર્કેટિંગયાર્ડ માં ખેડૂતો ને પોષણક્ષમ ભાવો મળે છે ખરો તોલ થાઈ છે અને પુરા નાળા મળે છે આ જ ક્રમ અમો આવતા દિવસો માં જાળવી રાખીશું તેમજ આવતા દિવસો માં ખેડૂતો ને યાર્ડ માં વધુ આધુનિક સુવિધાઓ મળી રહે તેવા અમારી બોડી ના પ્રયત્ન રહશે. અત્રે ઉલ્લ ેખનીય છેકે કોડીનાર માર્કેટિંગ યાર્ડ માં છેલ્લાં ૨૬ વર્ષ થી ભા.જ.પ નું શાસન છે તેમજ માજી સાંસદ દિનુભાઈ સોલંકી ના સીધા માર્ગદર્શન હેઠળ યાર્ડ સતત સિદ્ધિ પ્રાપ્ત કરતું આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech