કૃષી મંત્રીના હસ્તે જામનગરના મોરકંડામાં પેવરબ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત

  • November 29, 2023 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રુા. ૫ લાખના ખર્ચે વિકાસકાર્ય પૂર્ણ કરાશે: રાઘવજીભાઇ કૃષિમંત્રી  પટેલે કરી જાહેરાત

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે મોરકંડા ગામમાં પેવરબ્લોકના વિકાસ કામનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સંસદ સભ્ય રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી જામનગર તાલુકામાં આવેલા મોરકંડા ગામમાં સિદ્ધનાથ મહાદેવ મંદિર અને સ્મશાન ગૃહની આસપાસ રૂ.૫ લાખના ખર્ચે નવા પેવરબ્લોક મુકવામાં આવશે.
કેબિનેટ મંત્રીના હસ્તે પેવરબ્લોકના વિકાસકાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. તેમજ મંત્રીએ ગ્રામસભા ભરી હતી, અને ગ્રામજનોની સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં, આગેવાન મુકુંદભાઈ સભાયા, દિનેશભાઈ પરમાર, મનજીભાઈ કટેશીયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application