રૈયા ચોકડી પાસે બેભાન મળેલા વૃધ્ધના ખિસ્સામાંથી રોકડ ગાયબ

  • April 06, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિવિલમાં સારવારમાં, હાથમાં ઇજાના નિશાન જોતા પરિવારે મારકૂટ થઈ હોવાની શંકા દર્શાવતા પોલીસ તપાસ


શહેરના રૈયા સર્કલ પાસે આવેલી મોમાઈ હોટેલ નજીક બેભાન હાલતમાં પડેલા વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને પરિવારજનોને જાણ કરવામાં આવતા પરિવારજનો હૉસ્પિટલએ દોડી આવ્યા હતા. વૃધ્ધના ખિસામાથી પૈસા ગાયબ હોઈ અને ઇજાના નિશાન હોવાથી મારકૂટ થઈ હોવાની શંકા પરિવારજનોએ દર્શાવી છે.


પ્રાપ્ત વિગત મુજબ શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલા નટરાજનગર બાલમુકુંદ સોસાયટી-૧ માં રહેતા મેરામભાઈ નાનુભાઈ સભાડ (ઉ.વ.૮૦) નામના વૃધ્ધ ગઈકાલે રૈયા ચોકડી પાસે આવેલી મોમાઈ હોટેલ પાસે બેભાન મળી આવતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.


પરિવારજનોના કહેવા મુજબ મેરામભાઈ ચારેક દિવસ પહેલા સાયલા રહેતા ભાણેજના ખબર અંતર પૂછવા ગયા હતા અને ગઈકાલે ત્યાંથી રાજકોટ આવવા નીકળ્યા હતા. બપોરે રૈયા ચોકડી પાસે બેભાન પડ્યા હોવાનું જાણવા મળ્યું હતું.


વધુમાં કહ્યું હતું કે, મેરામભાઈ ખિસ્સામાં સાત થી આઠ હજાર રૂપિયા રાખતા હતા જે તેના ખિસ્સામાંથી મળી આવ્યા નથી અને હાથના ભાગે ચાભાના નિશાન છે. આથી કોઈ એ હાથ પકડી મારકૂટ કરી હોય ને પૈસા કાઢી લીધા હોવાની શંકા છે. બનાવના પગલે ગંધિગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application