સાવરકુંડલાના નુરાની નગરમાં આવેલા બધં રહેણાંક મકાનમા તસ્કરોએ પરોણા કરતા સવા લાખની રોકડ અને સોના–ચાંદીના દાગીના મળી .૧,૮૧,૬૨૭ની માલ મત્તાની ચોરી થયાની મકાન માલીકે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રા માહિતી મુજબ નુરાની નગરમાં રહેતા અસ્લમ સતારભાઇ ડુંગરીયા ગત તા.૪ના રોજ વિસાવદર રહેતા સાળાના ઘરે દીકરીનો જન્મ થતા પરિવાર સાથે લાડવા લઈને ગયા હતા પરત આવીને ડેલીનું તાળું ખોલી અંદર જોતા મના તાળા અને નકુચા તૂટેલી હાલતમાં જોવા મળતા મમાં એક જૂનો પટારો હોઈ એ પટારામાં મારવામાં આવેલા બે તાળા પણ તૂટેલા હતા આથી પટારો ખોલીને જોતા તેમાં રાખવામાં આવેલા રોકડા પિયા ૧૦,૨૧,૭૩ , લોનના .૨૫,૦૦૦ અને પત્નીના સોના ચાંદીના દાગીના જોવા ન મળતા મકાનમાં પાછળથી ચોરી થઇ હોવાનું જણાતા બનાવ અંગે સાવરકુંડલા પોલીસને જાણ કરી હતી. પોલીસે પંચરોજ કામ કરી અસ્લમ સતારભાઇ ડુંગરીયા (ઉ.વ.૩૦)નામના યુવકની ફરિયાદના આધારે અજાણ્યા ચોર સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી અને ચોરી કરનાર હાથવેંતમાં હોવાનું પોલીસ તપાસના અંતે જાણવા મળ્યું છે
એકલતા જોખમી
જે લોકોની જોવાની અને સાંભળવાની ક્ષમતા ઓછી હોય છે તે ઘણીવાર અલગ પડી જાય છે અને સામાજિક પથી ઓછા સક્રિય હોય છે. આ વાતના પુરાવા છે કે, એકલતા વ્યકિતના મગજમાં ઐંડો ફેરફાર કરી શકે છે અને તે ડિમેંશિયાના માટે જાણીતું જોખમી પરિબળ છે. મોન્ટ્રીયલની કોનકોર્ડિયા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર નતાલી ફિલિપ્સ કહે છે કે, ધ્ષ્ટ્રિની ક્ષતિ તમને પાર્ટીમાં જવાથી રોકે છે. ત્યાંજ સાંભળવાની ક્ષમતા ગુમાવવાનો અર્થ એ છે કે, તમે પાર્ટીમાં જાઓ છો અને કોઈની સાથે વાત કરશો નહીં
નિવારણ માટે શું કરવું?
ડો. લી સલાહ આપે છે કે, તમારી દ્રષ્ટ્રિનું મૂલ્યાંકન કરવા માટે તમે કોઈ સારા ડોકટર પાસે તમારી આંખોની તપાસ કરાવો. તે વર્ષમાં ઓછામાં ઓછા એક વખત આંખની તપાસ કરવાની ભલામણ કરે છે. ડો. લી સલાહ આપે છે કે, જો તમે ઇચ્છો, તો તમે ઘરે બેઠા પણ તમારી શ્રવણશકિતની તપાસ કરાવી શકો છો. મીમી જેવી ફ્રી શ્રવણ પરીક્ષણ એપ્લિકેશન્સ, ચોક્કસ પરિણામો પ્રદાન કરે છે. ડો. ફિલિપ્સ કહે છે કે, આ વિકૃતિઓથી છુટકારો મેળવવાથી માત્ર ડિમેંશિયાનું જોખમ ઘટશે નહીં, પરંતુ તમારા રોજિંદા જીવનમાં પણ સુધારો થશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech