ગુજરાત સરકારની કેબિનેટની ગઈકાલે મળેલી બેઠકમાં સૌરાષ્ટ્રમાં કચ્છમાં સુરેન્દ્રનગર મોરબી પોરબંદર ગાંધીધામ અને ગુજરાતમાં નવસારી વાપી આણંદ નડિયાદ મહેસાણા ને નગરપાલિકાઓમાંથી મહાનગરપાલિકાઓનો દરજ્જો આપવાનો નિર્ણય લેવાયો છે. કેબિનેટના આ નિર્ણય પછી હવે ગુજરાતમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 17 થઈ ગઈ છે. ગુજરાતમાં અત્યારે અમદાવાદ વડોદરા, સુરત રાજકોટ ભાવનગર જૂનાગઢ જામનગર અને ગાંધીનગર મળીને આઠ મહાનગરપાલિકાઓ કાર્યરત હતી તેમાં વધુ નવનો ઉમેરો થયો છે. 14 વર્ષ બાદ નવી મહાનગરપાલિકાઓ માટે જાહેરાત કરવામાં આવી છે.
આ ઉપરાંત બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી વાવ -થરાદ જીલ્લો બનાવવામાં આવ્યો છે અને તેના કારણે ગુજરાતમાં જિલ્લાઓની કુલ સંખ્યા 34 થઈ ગઈ છે. ચૂંટાયેલું માળખું વિસર્જિત કરવામાં આવશે.
કઈ મહાપાલિકામાં કોણ કમિશનર?
નવી નવ મહાનગરપાલિકાઓમાં નવા કમિશનરોની નિમણુંક પણ કરવામાં આવી છે. મોરબીમાં સ્વપ્નિલ ખરે આણંદમાં મિલિંદ બાપ્ના નડિયાદમાં મીરાંંત પરીખ વાપીમાં યોગેશ ચૌધરી મહેસાણામાં રવિન્દ્ર ખાટલે સુરેન્દ્રનગરમાં જી એચ સોલંકી નવસારીમાં દેવ ચૌધરી પોરબંદરમાં એચ.જે.પ્રજાપતિ અને ગાંધીધામમાં એમ.પી.પંડ્યાને પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.
ડેપ્યુટી કમિશનરોની પણ નિમણૂક
નવ મહાનગરપાલિકાઓમાં પ્રથમ કમિશનરોની નિમણૂક કરાયા બાદ ગઈકાલે મોડી રાત્રે મહાનગરપાલિકાઓમાં ડેપ્યુટી કમિશનરોની પણ નિમણુક કરવામાં આવી છે. નડિયાદમાં મહેન્દ્ર દેસાઈ આણંદમાં નીલાક્ષ મકવાણા મહેસાણામાં એ.બી.મંડોરી વાપીમાં આસ્થા સોલંકી નવસારીમાં ગૌરાંગ વસાણી સુરેન્દ્રનગરમાં એ. આર. ચાવડા ગાંધીધામમાં મેહુલ દેસાઈ અને પોરબંદરમાં એચ. વી. પટેલની નિમણૂક કરવામાં આવી છે. મોરબીમાં નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે જવાબદારી સંભાળતા કુલદીપસિંહ વાળાને ડેપ્યુટી મ્યુનિસીપલ કમિશનર તરીકે રીડેઝિગન્ટેડ કરવામાં આવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech