આશ્રય સ્થાનો પર ગરમા-ગરમ ભોજન પહોચાડતું બોલબાલા ટ્રસ્ટ

  • June 13, 2023 01:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાવાઝોડાની સંભવીત આફત સામે તમામે તમામ લોકો સજાગ છે, પોતાનાથી બને તેટલી મદદ કરવાની કોશિષ કરી રહયા છે, દરમ્યાનમાં દરેક કુદરતી આફત વખતે લોકોની પડખે મદદ માટે ઉભા રહેતા જાણીતા એવા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આશ્રયસ્થાનોમાં રહેલા ગરીબોને ગરમા ગરમ ભોજન પહોચાડવા માટેની ઉમદા વ્યવસ્થા કરવામાં આવી છે અને આ ભોજન તૈયાર કરવા માટે મહિલાઓ સહિત ૬૦ થી ૭૦ જેટલા સેવાભાવીઓ કામે લાગ્યા છે, આ સબંધે ટ્રસ્ટના ચેતનભાઇ ઉપાઘ્યાય સાથે વાત કરવામાં આવતા એમણે કહયું હતું કે આ વખતે અમે ફુડ પેકેટ નહીં પરંતુ જામનગરના જુદા જુદા સ્થળે આશ્રયસ્થાનો પર રહેલા ગરીબ લોકોને ગરમા ગરમ જમવાનું પહોચાડવા માંગીએ છીએ, આ માટે ગરમા ગરમ ખીચડી, શાક, પુરી, ગુંદી ગાંઠીયા ઇત્યાદી તૈયાર કરવામાં આવી રહયા છે અને મહાનગરપાલીકા જયાં પણ કહેશે ત્યાં અમે લોકોને ગરમ ભોજન પહોંચાડશું... આ સેવાને સલામ!



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application