વાડીમાંથી વૃધ્ધની લાશ મળી પત્ની–પુત્રએ હત્યા કર્યાનો આક્ષેપ

  • April 04, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જસદણ તાલુકાના વીંછિયામાં આજે પારિવારિક ઝઘડામાં પ્રૌઢની તેના પત્ની અને પુત્રએ ઢોર માર મારી હત્યા કર્યાની ઘટના બહાર આવતા પોલીસ દોડી ગઈ હતી. મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.પ્રા વિગતો મુજબ વીંછિયા ગામે રહેતા ગાંડુભાઈ સવજીભાઈ રાજપરા ઉ.વ.૬૮ આજે તેની વાડીએથી ઈજાગ્રસ્ત હાલતમાં લાશ મળી આવી હતી. વૃધ્ધના શરીરે નિશાનો જોવા મળ્યા હતા. પ્રારંભીક તબક્કે વૃધ્ધનું આકસ્મિક રીતે મૃત્યુ નીપજયાનું પરિવારજનો દ્રારા ગ્રામજનોને જણાવાયું હતું. બનાવ સંદર્ભે વીંછિયા પોલીસ પણ દોડી આવી હતી. વૃધ્ધના શરીરે ચાંભા જેવા નિશાન હોવાથી માર મારવાથી મૃત્યુ થયું હોવાની આશંકા મૃતકના ભત્રીજાએ વ્યકત કરી હતી. સાથે એવો પણ આક્ષેપ કર્યેા હતો કે, ગાંડુભાઈના પત્ની કંકુબેન અને તેના પુત્રએ મળી મૃત્યુ નીપજાવ્યું હોય તેવી શંકા છે. પોલીસે મૃતકના શરીરે કોઈએવી બાહ્ય કે લોહી નીકળ્યું હોય તેવી ગંભીર ઈજાના નિશાન ન હોવાથી અને ભત્રીજાએ કરેલા આક્ષેપ આધારે મૃતકનું મોત આકસ્મિક જે કે હત્યા તે જાણવા માટે લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application