થાઈલેન્ડમાં ફટાકડાની ફેકટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા ૨૩ લોકોના મોત થયા છે.જયારે અનેક લોકોને ઇજા પહોચી છે, જેમને સારવાર માટે ખસેડાયા છે. મળતી વિગતો મુજબ રાજધાની બેંગકોકથી લગભગ ૬૦ માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે, કોઈ જ બચ્યું નથી.
એક બ્રિટિશ ન્યૂઝ સર્વિસ કંપનીના જણાવ્યા અનુસાર પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે, નવેમ્બર ૨૦૨૨માં પણ ફેકટરીમાં વિસ્ફોટ થયો હતો અને એક જીવ ગયો હતો. ઓગસ્ટ ૨૦૨૩માં પણ નરાથીવાટ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં એક પ્રચડં વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા ૧૦ લોકો માર્યા ગયા હતા અને લગભગ ૧૦૦ લોકો ઘાયલ થયા હતા.
સુફાન બુરી પ્રાંતના ગવર્નર નટ્ટપત સુવાનપ્રતિપે જણાવ્યું હતું કે,અમને ટીમ તરફથી અહેવાલો મળ્યા છે કે ૨૩ લોકોના મૃત્યુની પુષ્ટ્રિ થઈ છે. જો કે વિસ્ફોટનું કારણ શું છે? તે અત્યારે જાણી શકાયું નથી. તેણે એ પણ જણાવ્યું કે, ફટાકડાની ફેકટરી કાયદેસર રીતે ચાલી રહી છે અને કંપની પાસે માન્ય લાઇસન્સ પણ છે.
થાઇલેન્ડના પીએમ શ્રીથા થવિસિન વલ્ર્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટઝરલેન્ડ પહોંચ્યા હતા. પીએમઓ દ્રારા ત્યાં જાહેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, પીએમ શ્રીથા થવિસિનને પ્રાદેશિક પોલીસ કમાન્ડર દ્રારા ફોન પર મામલાની જાણકારી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, વિસ્ફોટ સમયે ફેકટરીમાં ૨૦ થી ૩૦ કામદારો હતા અને તેમાંથી કોઈ પણ જીવિત મળ્યું નથી.સમરાકુન સુફન બુરી રેસ્કયુ ફાઉન્ડેશનના બચાવ કાર્યકર ક્રિત્સદા માને–ઈન એ કહ્યું હતું કે લાશોની સચોટ ગણતરી મુશ્કેલ હતી કારણ કે મૃતદેહો ટુકડાઓમાં હતા.
ગત વર્ષે વિસ્ફોટ થતાં ૧૦ લોકોના મોત થયા હતા
થાઈલેન્ડમાં ફટાકડાનો વેપાર કરતી દુકાનો અથવા ફેકટરીઓમાં વિસ્ફોટ સામાન્ય બાબત છે. ગયા વર્ષે દક્ષિણ નરાથિવાટ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં વિસ્ફોટ થતાં ૧૦ લોકો માર્યા ગયા હતા અને ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા હતા. થાઈલેન્ડમાં બાંધકામ ક્ષેત્રે સલામતીનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે અને અકસ્માતો થતા રહે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMNobel Prize 2024: આવતા અઠવાડિયે નોબેલ પુરસ્કારની થશે જાહેરાત, જાણો કોનું થશે સન્માન...
October 05, 2024 08:15 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech