સુરક્ષાબળોને મોટી સફળતા : તેલંગાણામાં 6 નક્સલીઓને કર્યા ઠાર, બે જવાન ઈજાગ્રસ્ત

  • September 05, 2024 11:40 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




દેશના વિવિધ રાજ્યોમાં સક્રિય નક્સલવાદીઓ અથવા માઓવાદીઓને ખતમ કરવામાં સુરક્ષા દળોને આજે ગુરુવારે મોટી સફળતા મળી છે. મળતી માહિતી અનુસાર, તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ સાથેની અથડામણમાં 6 માઓવાદીઓ માર્યા ગયા અને બે સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. પોલીસ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ જવાનમાંથી એકની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે.


ગુરુવારે સવારે એન્કાઉન્ટર


તેલંગાણા રાજ્યના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના અધિક્ષક રોહિત રાજે માહિતી આપી હતી કે, 5 સપ્ટેમ્બર ગુરુવારના રોજ સવારે ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લામાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. થોડા સમય પછી માહિતી સામે આવી કે આ એન્કાઉન્ટરમાં 6 નક્સલવાદીઓ માર્યા ગયા છે. તેમજ બે જવાનો પણ ઈજાગ્રસ્ત થયા છે.


 આ ઘટના જિલ્લાના જંગલ વિસ્તારમાં બની હતી


પોલીસે આ ઘટના અંગે માહિતી આપી છે કે ગોળીબારમાં માઓવાદી સંગઠનના છ કેડર માર્યા ગયા છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના જિલ્લાના જંગલ વિસ્તારમાં બની હતી. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.


અગાઉ છત્તીસગઢમાં 9 નક્સલવાદીઓ કરાયા ઠાર


મંગળવારે છત્તીસગઢના દંતેવાડામાં પણ સુરક્ષાદળોને સફળતા મળી હતી. મળતી માહિતી મુજબ, અહીં એન્કાઉન્ટરમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયા હતા. આઈજી બસ્તર પી. સુંદરરાજે જણાવ્યું હતું કે, સીઆરપીએફ અને છત્તીસગઢ પોલીસ અને ડીઆરજીએ દંતેવાડા વિસ્તારમાં નક્સલવાદીઓ સાથે એન્કાઉન્ટર કર્યું હતું. આ પહેલા ગત અઠવાડિયે પણ નક્સલ પ્રભાવિત નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળોએ ત્રણ મહિલા નક્સલવાદીઓને માર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application