ગૌ-પ્રેમીઓમાં આરોપી સામે ભારે રોષની લાગણી
કલ્યાણપુર તાલુકાના ભોગાત ગામે રહેતા એક શખ્સ દ્વારા ગૌશાળામાં જઈ અને અહીં રહેલી એક ગાય પ્રત્યે વિકૃતિ વ્યક્ત કરી અને કુકર્મ આચાર્યનો બનાવ સામે આવ્યો છે. જે સંદર્ભે પોલીસે એક આસામીની ફરિયાદ પરથી આ શખ્સ સામે વિવિઘ કલમ મુજબ ગુનો નોંધી, કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સમગ્ર જિલ્લામાં અતિ ચકચારી એવા આ બનાવની વિગત મુજબ કલ્યાણપુરથી આશરે ૩૫ કિલોમીટર દૂર ભોગાત ગામે આવેલી શ્રી ભોગાત ગૌસેવા સેવા સમિતિ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળામાં આ જ ગામનો ધના લખમણ કંડોરીયા કે જે આ ગૌશાળામાં સેવા કરવા આવતો હતો, તેના દ્વારા ગત રવિવાર તારીખ ૭ના રોજ આ ગૌશાળામાં એક ગાય પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચારવામાં આવતું હોવા અંગેનો વિડીયો એક આસામી દ્વારા મોબાઈલમાં લઈ લેવામાં આવ્યો હતો.
આથી દુષ્કૃત્ય અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં કલ્યાણપુર તાલુકાના ગૌસેવકો અને ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. આ પ્રકરણમાં ગૌશાળાની સમિતિના સભ્ય તરીકે રહેલા માયાભાઈ ઉર્ફે બુધાભાઈ ભગુભાઈ રૂડાચ (ઉ.વ. ૪૪, રહે. ભોગાત)ની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસે ધના લખમણ કંડોરીયા સામે આઈ.પી.સી. કલમ ૩૭૭ તથા પશુ પ્રત્યે ઘાતકી પણ અધિનિયમ નિકલમ મુજબ ગુનો નોંધ્યો છે.
આ પ્રકરણમાં અહીંના ડીવાયએસપીના વડપણ હેઠળ આગળની તપાસ કલ્યાણપુરના પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ જધન્ય બનાવથી સમગ્ર પંથકના ગૌ પ્રેમીઓમાં આરોપી સામે ભારે રોષની લાગણી પ્રસરી જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશની ઉમ્મીદને મોટો ઝટકો, CASએ વિનેશ ફોગાટનો કેસ ફગાવ્યો, નહીં મળે મેડલ
August 14, 2024 10:19 PMજાણો સ્વતંત્રતા દિવસની ઉજવણી પછી તિરંગા સાથે શું કરવું, નહીં તો જેલ થઈ શકે છે
August 14, 2024 10:13 PMGovind Mohan Home Secretary: 1989 બેચના વરિષ્ઠ IAS અધિકારી ગોવિંદ મોહન નવા કેન્દ્રીય ગૃહ સચિવ
August 14, 2024 09:42 PMKolkata: મહિલા ડૉક્ટર હત્યા કેસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, સામૂહિક દુષ્કર્મની આશંકા
August 14, 2024 09:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech