ખીરસરા પેલેસ પાસેથી ૮૦૮ ગ્રામ ગાંજા સાથે બેલડીને ઝડપી લેવાઈ

  • August 26, 2023 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે લોધિકા તાલુકામાં ખીરસરા પેલેસ પાછળ આવેલા મંદિર પાસેથી સુરેન્દ્રનગર પંથકના બે શખસોને ૮૦૮ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા હતાં.આ બેલડી અહીં મરચા લેવા માટે આવતી અને તેની આડમાં ગાંજાની સપ્લાય કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.પોલીસ બંને આરોપીની વિશેષ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. અમીતભાઇ કનેરીયા, કોન્સ. કાળુભાઇ ધાધલ,અમીતદાન સુને એવી બાતમી મળી હતી કે,ખીરસરા પેલેસ પાસે બે શખસો માદક પર્દાથના જથ્થાની હેરફેર કરવાની પેરવીમાં છે.જેથી ગોંડલ સર્કલ પીઆઇ એ.સી.ડામોરના માર્ગદર્શન હેઠળ ટીમે અહીં પહોંચી ખીરસરા પેલેસની પાછળ આવેલા ખોડીયાર મંદિર પાસે ખરાબાની જગ્યામાંથી પોલીસે બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતાં.જેમની પુછતાછ કરતા તેમના નામ ભરત વીઠાભાઇ પાટડીયા(રહે.પાટડી તા. સુરેન્દ્રનગર),અનવરશા ઇમામશા ફકીર(રહે.પાટડી તા.સુરેન્દ્રનગર) હોવાનું માલુમ પડયું હતું.પોલીસે આ બંને શખસોની અગં ઝડતી લેતા તેમની પાસેથી ૮૦૮ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે .૮૦૮૦ નો ગાંજા સહિત .૨૩૦૮૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.

પોલીસે વધુમાં જણાવ્યું હતું કે,આ બંને શખસો અહીં મરચા લેવા આવ્યા હોવાનું રટણ કરે છે.તે મરચાની આડમાં ગાંજાની સપ્લાય કરતા હોવાની શંકા સેવાઇ રહી છે.આ બંને આ પૂર્વે પણ આ રીતે ગાંજો સપ્લાય કરી ગયાની પણ દ્રઢ શંકા છે.આરોપીઓ પૈકી ભરત પાટડીયા અગાઉ મારામારી ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે બંને સામે લોધિકા પોલીસ મથકમાં એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application