રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે લોધિકા તાલુકામાં ખીરસરા પેલેસ પાછળ આવેલા મંદિર પાસેથી સુરેન્દ્રનગર પંથકના બે શખસોને ૮૦૮ ગ્રામ ગાંજા સાથે ઝડપી લીધા હતાં.આ બેલડી અહીં મરચા લેવા માટે આવતી અને તેની આડમાં ગાંજાની સપ્લાય કરતી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.પોલીસ બંને આરોપીની વિશેષ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. અમીતભાઇ કનેરીયા, કોન્સ. કાળુભાઇ ધાધલ,અમીતદાન સુને એવી બાતમી મળી હતી કે,ખીરસરા પેલેસ પાસે બે શખસો માદક પર્દાથના જથ્થાની હેરફેર કરવાની પેરવીમાં છે.જેથી ગોંડલ સર્કલ પીઆઇ એ.સી.ડામોરના માર્ગદર્શન હેઠળ ટીમે અહીં પહોંચી ખીરસરા પેલેસની પાછળ આવેલા ખોડીયાર મંદિર પાસે ખરાબાની જગ્યામાંથી પોલીસે બે શખસોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતાં.જેમની પુછતાછ કરતા તેમના નામ ભરત વીઠાભાઇ પાટડીયા(રહે.પાટડી તા. સુરેન્દ્રનગર),અનવરશા ઇમામશા ફકીર(રહે.પાટડી તા.સુરેન્દ્રનગર) હોવાનું માલુમ પડયું હતું.પોલીસે આ બંને શખસોની અગં ઝડતી લેતા તેમની પાસેથી ૮૦૮ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે .૮૦૮૦ નો ગાંજા સહિત .૨૩૦૮૦ નો મુદામાલ કબજે કર્યેા હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે,આ બંને શખસો અહીં મરચા લેવા આવ્યા હોવાનું રટણ કરે છે.તે મરચાની આડમાં ગાંજાની સપ્લાય કરતા હોવાની શંકા સેવાઇ રહી છે.આ બંને આ પૂર્વે પણ આ રીતે ગાંજો સપ્લાય કરી ગયાની પણ દ્રઢ શંકા છે.આરોપીઓ પૈકી ભરત પાટડીયા અગાઉ મારામારી ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો હોવાનું જાણવા મળ્યું છે.પોલીસે બંને સામે લોધિકા પોલીસ મથકમાં એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech