છાંયાચોકી વિસ્તારના બિસ્માર માર્ગથી લોકોને ભારે હેરાનગતિ વેઠવી પડી રહી છે,પોરબંદર કોંગ્રેસ દ્વારા સમારકામની માંગણી કરવામાં આવી છે.
પોરબંદર-છાંયા નગરપાલિકા મર્જ થાય તે પહેલા છાંયા નગરપાલિકાના શાસનમાં છાંયાના કોઈપણ વિસ્તારમાં કયારેય કોઇ માર્ગ બીસ્માર રહેતો નહી, આ અંગેની દીર્ઘદ્રષ્ટિ તત્કાલીન પ્રમુખ સુરેશ થાનકી, ભોજાભાઈ ખુંટી અને જીવાભાઈ ભુતિયાને આભારી હતી કે જેના શાસનકાળ દરમ્યાન છાંયાના કોઈપણ ગલી કે વિસ્તારનો રોડ કયારેય બિસ્માર રહેવા પામતો નહી. પરંતુ જ્યારથી પાલિકાઓ સંયુક્ત થઈ છે, ત્યારથી જાણે કે ગહન રાજકીય દ્રષ્ટિકોણ વગર કોઇ નિર્ણય લેવાતો જ ન હોય તેમ છાંયાના મેઈન રોડને જોવાવાળું જાણે કે કોઈ છે જ નહી.ત્યારે પુર્વ શાસકોને યાદ કરતા સીનિયર નાગરીકોનું માનીએ તો પાલિકાની પણ પહેલા છાંયા ગ્રામ પંચાયત હતી,ત્યારના શાસક એવા સ્વર્ગવાસી સરપંચ દિલીપસિંહબાપુના શાસનમાં પણ છાંયાના માર્ગો કયારેય બિસ્માર જોવા મળતા ન હતા.પરંતુ જયારથી પાલિકાને પોરબંદર-છાંયા સંયુક્ત નગરપાલિકાનું બિદ મળ્યું ત્યારથી છાંયા સાથે જાણે કે ઓરમાયું વર્તન કરવાનો કોઈને અધિકાર મળી ગયો હોય એમ છાંયાચોકીથી માતિનગર ચોકડી સુધીમાં અનેક જગ્યાએ રોડ અતિ થી અતિભારે રીતે તુટી જવા પામ્યો છે.આ રોડમાં પાણી ભરાય છે એ હકીકત છે, પરંતુ પાણી પણ પાલિકાની અણ આવડતના કારણે ભરાતુ હોવાથી, રોડને કાયમી રીપેર કરવાને બદલે રજુઆતોનો દોર વધી જાય ત્યારે માટી અને ધુળ પાથરીને લોકાક્રોશ શાંત પાડી દેવામાં આવે છે.ત્યારે ગલી મહોલ્લાની સાફ સફાઈ,બિસ્માર માર્ગોની મરમ્મત અને મોડી રાત્રી સુધી ચાલુ ન થતી અને દિવસે બપોરે બાર વાગ્યા સુધી પ્રકાશ ફેલાવતી સ્ટ્રીટ લાઈટોનું વ્યવસ્થાપન પોરબંદરથી થવાને બદલે છાંયાથી થાય તો જ છાંયાવાસીઓ સાથેનો અન્યાય અટકાવી શકાય.પીવાના પાણી વિતરણમાં પણ લાલિયા વેડા થાય છે,ભુગર્ભ ગટર કનેક્શનો, પાણી કનેક્શનની અરજીઓનો ભરાવો થયો હોવા છતાં પણ નવા કનેક્શનો ન આપતી પાલિકામાં કોઈક તો એવું હશે જેને છાંયાના પ્રશ્ર્નો ઉકેલાય એને બદલે ખડકલો થાય એમાં ચિ રહેતી હશે. કોંગ્રેસ પ્રવકતા ભાર્ગવ જોષી,પુર્વ કોર્પોરેટર કાંતિ બુધેચા અને શહેર પ્રમુખ વિપુલભાઈ ચંદારાણા જણાવે છે કે,રાજકારણમાં પક્ષાપક્ષી હોય એ લોકતંત્ર છે, એમ માની શકાય પણ સત્તામાં જુથબાજી હોવાથી જનતાના કામ ન થાય એ બાબત લોકોએ પણ ધ્યાને લેવા જેવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવળાવડના યુવાનને પૂર્વ પત્ની અને તેના પતિ સહિત ચાર શખ્સે માર માર્યો
October 05, 2024 02:57 PMબિલ્ડીંગ વિભાગ દ્વારા દીવાલ બનાવવા માટે અવરોધ રૂપ દબાણ દૂર કરવા તંત્રની કાર્યવાહી
October 05, 2024 02:55 PMસેવાસેતુ કાર્યક્રમ થકી પ્રતીક વાઘેલાનું સ્થળ પર જ નિકળ્યું ચૂંટણી કાર્ડ
October 05, 2024 02:54 PMનવરાત્રીમાં આ રીતે જૂની સાડી અને લહેંગાને આપો નવો લુક, ડ્રેસિંગમાં લાગી જશે ચાર ચાંદ
October 05, 2024 02:54 PMહાદાનગરમાં રહેતી મહિલાએ ફીનાઇલ પી લેતા સારવારમાં
October 05, 2024 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech