આયુષ્માન ખુરાનાએ સની દેઓલના કારણે બોર્ડર- 2 છોડી

  • August 08, 2024 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સની દેઓલની ફિલ્મ બોર્ડર ટૂમાંથી આયુષમાન ખુરાનાની એક્ઝિટ થઈ ગઈ છે. આ ફિલ્મમાં સની દેઓલ કરતાં ગૌણ પાત્ર મળતાં આયુષમાને આ ફિલમ છોડી દીધી હોવાનું કહેવાય છે.
સની દેઓલે ભારત અને પાકિસ્તાન વચ્ચેની કહાની પર બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી છે. ફરી એકવાર એ જ તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલમાં તેની પાસે 8 ફિલ્મો છે. તાજેતરમાં જ ખબર પડી હતી કે લાહોર 1947 પર તેમનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે. છેલ્લી સિક્વન્સનું શૂટિંગ થઈ રહ્યું છે. બીજી ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બરથી શરૂ થવાના અહેવાલો છે, જે છે બોર્ડર-2.
ફિલ્મમાં ઘણા કલાકારોએ પણ એન્ટ્રી કરી છે. હાલમાં જ આયુષ્માન ખુરાનાનું નામ આ ફિલ્મ સાથે જોડાઈ રહ્યું હતું, પરંતુ હવે એક મોટું અપડેટ આવ્યું છે. ટીમના જણાવ્યા અનુસાર આયુષમાને ફિલ્મ વિધિવત્ત સાઈન કરી જ ન હતી. તેની સાથે માત્ર ચર્ચા થઈ હતી આ ચર્ચા દરમિયાન જ આયુષમાને ફિલ્મમાં કામ નહીં કરવાનું નક્કી કર્યું હતું આયુષમાને ઓછાં મહત્વનાં પાત્રને કારણે ફિલ્મ છોડી દીધી હોવાનો પણ ઈનકાર કરવામાં આવ્યો છે. ફિલ્મ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર 'બોર્ડર'ની જેમ 'બોર્ડર ટૂ'માં પણ સૈન્યના એક મોટાં જૂથના પરાક્રમો દર્શાવવામાં આવશે. તેમાં કોઈ એક પાત્ર મુખ્ય હોય તેવું નહીં બને. દરેક પાત્ર કોઈને કોઈ રીતે મહત્વનું હશે. ફિલ્મમાં અગાઉ દિલજીત દોસાંજને પણ સાઈન કરવામાં આવ્યો હોવાના અહેવાલ હતા.
દરમિયાન કાસ્ટિંગ વિશેની તમામ અટકળોનો અંત લાવવા માટે ફિલ્મના સર્જકો દ્વારા એક મેગા ઈવેન્ટ પ્લાન થઈ રહી છે. તેમાં અન્ય કલાકારોની જાહેરાત કરાશે .



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application