સોની સબની ફેમસ સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા આ દિવસોમાં ખરાબ કારણોસર ચર્ચામાં છે. આ સીરિયલમાં મહત્વની ભૂમિકા ભજવનાર શૈલેષ સોઢાએ થોડા સમય પહેલા જ શો છોડી દીધો હતો. શૈલેષ સોઢા પછી હવે રોશન સોઢીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનીફર મિસ્ત્રીએ પણ આ શોને અલવિદા કહી દીધું છે. જેનિફરે શોના નિર્માતા અસિત કુમાર મોદી પર પણ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે અસિત મોદી અને તેની પ્રોડક્શન ટીમના બે લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ સમગ્ર ઘટના બાદ શોના નિર્માતા અસિત કુમાર મોદીનું નિવેદન સામે આવ્યું છે. અસિત મોદીએ કહ્યું કે, તે તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરતી ન હતી. અમારે તેના વર્તન અંગે પ્રોડક્શન હેડને નિયમિતપણે ફરિયાદ કરવી પડતી હતી. તેણે છેલ્લા દિવસે યુનિટના સભ્યો સામે અપમાનજનક વર્તન કર્યું હતું અને તેનું શૂટ પૂર્ણ કર્યા વગર સેટ છોડી દીધો હતો. જેનિફર મિસ્ત્રી વિશે હર્ષદ જોશી, રૂષિ દવે અને અરમાનની ડાયરેક્શન ટીમે જણાવ્યું હતુ કે, તે શોમાં આખી ટીમ સાથે ગેરવર્તણૂક કરતી હતી.
શૂટિંગમાંથી બહાર નીકળતી વખતે, તેણે લોકોની કાળજી કર્યા વગર પોતાની ગાડીને ફુલ સ્પીડમાં ચલાવી બહાર નીકળી હતી. તેણે સેટની મિલકતને પણ નુકસાન પહોંચાડ્યું હતું. શૂટ દરમિયાન તેના ખરાબ વર્તન અને અનુશાસનહીનતાને કારણે તેની સાથેનો કરાર સમાપ્ત કરવો પડ્યો. આ ઘટના દરમિયાન અસિત મોદી યુએસએમાં હતા. તે હવે પાયાવિહોણા આરોપો લગાવીને અમને અને શોને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે આ પાયાવિહોણા આરોપો સામે સંબંધિત અધિકારીઓ સમક્ષ અમારી ફરિયાદ નોંધાવી ચૂક્યા છે. તેમ પ્રોજેક્ટ હેડ સોહિલ રામાણી અને જતીન બજાજે કહ્યું હતુ.અ મે કાયદેસરની કાર્યવાહી કરીશું કારણ કે તે મને અને શો બંનેને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. અને પાયાવિહોણા આક્ષેપો કરી રહી છે.”
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech