દિલ્હીની કોર્ટે શનિવારે એક્સાઇઝ પોલિસી સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની 14 દિવસની ન્યાયિક કસ્ટડીની સીબીઆઈની માગણી સ્વીકારી અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા. સીબીઆઈએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલવા માટે અરજી દાખલ કરી હતી. જેમાં કેજરીવાલ પર તપાસ એજન્સી દ્વારા તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સીબીઆઈએ કહ્યું કે કેજરીવાલે જાણીજોઈને દારૂ કૌભાંડ સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા નથી. કેજરીવાલે નવી લિકર પોલિસીમાં પ્રોફિટ માર્જિન 5 ટકાથી વધારીને 12 ટકા કરવાના કારણ અંગે પણ સાચો જવાબ આપ્યો નથી.
CBIએ કોર્ટમાં કહ્યું કે જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી ત્યારે શું કેબિનેટમાં દારૂની નીતિમાં ફેરફાર કરવાની જરૂર હતી? શા માટે આવી ઉતાવળ હતી? સાઉથ લોબી સંબંધિત કેસના આરોપીઓ દિલ્હીમાં રોકાયા હતા. કેજરીવાલના નજીકના વિજય નાયરના સંપર્કમાં હતા. નવી દારૂની નીતિ લાગુ કરવામાં સરકાર શા માટે ઉતાવળમાં હતી?
કેજરીવાલે પૂછપરછમાં સહકાર આપ્યો ન હતો
સીબીઆઈએ કહ્યું કે પૂછપરછ દરમિયાન અરવિંદ કેજરીવાલને તેના નજીકના સહયોગી વિજય નાયરની દારૂના કારોબારીઓ સાથેની અનેક મીટિંગો, કરોડો રૂપિયાની લાંચની માંગણી, ગોવાની ચૂંટણીમાં લગભગ 44.5 કરોડ રૂપિયાની લાંચનો ઉપયોગ, મગુન્તા શ્રીનિવાસલ્લુ રેડ્ડી, અર્જુન પાંડેની અનેક મુલાકાતો વિશે જાણવા મળ્યું અને મુથા ગૌતમ મીટિંગનું કારણ જેવા ઘણા પ્રશ્નોના જવાબ આપવાનું ટાળતા રહયા.
સીબીઆઈએ ન્યાયિક કસ્ટડીની કરી માંગણી
કેજરીવાલને ત્રણ દિવસની કસ્ટડીનો સમય પૂરો થતાં સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. વિશેષ ન્યાયાધીશ સુનૈના શર્માએ અગાઉ AAP વડાને જેલમાં મોકલવાની માંગ કરતી અરજી પર પોતાનો આદેશ અનામત રાખ્યો હતો. બાદમાં તેના આદેશમાં કોર્ટે અરવિંદ કેજરીવાલને 14 દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 21 માર્ચે એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેની ધરપકડ કરી હતી. તેમને નીચલી અદાલતે જામીન આપ્યા હતા, જેના પર દિલ્હી હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેન્સેક્સ 80 હજારને પાર થતાં CJI DY ચંદ્રચુડ ખુશ, SEBIને આપી સલાહ
July 04, 2024 03:27 PMરાજકોટ CPનો વિચિત્ર નિર્ણય, પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશબંધી
July 04, 2024 03:27 PMશાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામ નજીક ટ્રકમાં લાગી આગ
July 04, 2024 03:25 PMરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:23 PMરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech