કેન્સર એ ખૂબ જ ખતરનાક અને જીવલેણ રોગ છે. WHO અનુસાર દર છમાંથી એક મૃત્યુ કેન્સરને કારણે થાય છે. કેન્સરની સારવાર ત્યારે જ શક્ય છે જ્યારે તેની વહેલી ખબર પડી જાય પરંતુ માહિતીના અભાવે મોટાભાગના લોકો તેની અવગણના કરે છે.
કેટલીક સમસ્યાઓ એવી હોય છે જેને લોકો નાની ગણીને અવગણના કરે છે પરંતુ તે કેન્સરના લક્ષણો હોય શકે છે. ઘણા લોકો ગુટખા અને તમાકુના સેવનને મોઢાના કેન્સરનું કારણ માને છે પરંતુ સત્ય એ છે કે પાન-સોપારી, ધુમ્રપાન અને દારૂના સેવનથી પણ મોઢાનું કેન્સર થઈ શકે છે. મોઢાની અંદર અમુક પ્રકારના છાલા કે ચાંદા દેખાવા કેન્સરના સંકેતો પણ હોય શકે છે.
શું મોઢાના ચાંદા કેન્સરની નિશાની છે?
હેલ્થ એક્સપર્ટના મતે મોઢામાં ચાંદા પડવા સામાન્ય વાત છે પરંતુ ક્યારેક આ સમસ્યા કેન્સર જેવી બીમારીઓનું કારણ પણ બની શકે છે. મોઢામાં ચાંદા એ બહુ સામાન્ય સમસ્યા છે પરંતુ તેને નજરઅંદાજ કરવી યોગ્ય નથી. નિષ્ણાત દ્વારા તેની તપાસ કરવી જોઈએ. કેટલીકવાર એલર્જીના કારણે પણ ચાંદા થાય છે, જે સારવાર બાદ પણ રૂઝાઈ રહ્યા નથી તો કેન્સર ટેસ્ટ કરાવવો જોઈએ.
જીભ પરના ચાંદા કેન્સરની નિશાની?
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે જો મોંની અંદર જીભ પર ક્યાંય પણ છાલા કે ચાંદા હોય અને તે 3-4 અઠવાડિયા પછી પણ રૂઝાઈ ન રહ્યા હોય તો કોઈપણ વિલંબ કર્યા વિના બાયોપ્સી કરવી જોઈએ. કારણકે તે કેન્સરના સંકેત પણ હોય શકે છે. આમાં બિલકુલ બેદરકારી ન હોવી જોઈએ. આ રોગ જેટલી જલદી પકડાય તેટલી ઝડપી અને સરળ સારવાર કરી શકાય છે.
શું બાયોપ્સી કેન્સર મટાડશે?
હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે બાયોપ્સી પછી કેન્સર મટતું નથી એ ખોટી માન્યતા છે. નિષ્ણાતો દ્વારા બાયોપ્સી કરાવવામાં ફાયદો છે. આનાથી રોગને નિયંત્રણમાં રાખી શકાય છે.
નિષ્ણાતોના મતે લેસર દ્વારા ગાંઠને બાળવી યોગ્ય નથી. આના કારણે ઉપરનો ભાગ બળી જાય છે પરંતુ અંદરથી તે ઠીક થતો નથી. તેથી માત્ર બાયોપ્સી કરવી જોઈએ. જેથી સંપૂર્ણ અને સાચી સારવાર થઈ શકે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationન્યારી-1 અને વેણુ-2 ડેમના હેઠવાસના ગામલોકોને નદીના પટમાં અવરજવર ન કરવા ચેતવણી
September 18, 2024 11:46 PMLebanon Blast: લેબનોનમાં પેજર્સ પછી વોકી-ટોકી બ્લાસ્ટ, 9ના મોત
September 18, 2024 11:44 PMBihar News: નવાદામાં દબંગોએ 60 થી વધુ ઘરોને લગાડી આગ, કર્યો ગોળીબાર; પોલીસે સંભાળ્યો ચાર્જ
September 18, 2024 11:43 PMસ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ભાયાવદર ખાતે સ્વચ્છતા રેલી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા
September 18, 2024 11:40 PMશિવરાજપુર ગામે પૌરાણિક દરગાહ ખાતે મલ કુસ્તી સ્પર્ધા યોજાઈ
September 18, 2024 07:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech