Archery: વર્લ્ડ કપમાં ભારતને મળી નિરાશા, પદક ન જીતી શક્યા તીરંદાજ, દાવ પર છે ઓલિમ્પિકની ટિકિટ

  • June 20, 2024 10:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતના રિકર્વ તીરંદાજો વિશ્વ કપમાં મેડલ જીતશે અને આવતા મહિને શરૂ થનારી પેરિસ ઓલિમ્પિક 2024ની ટિકિટ બુક કરશે તેવી અપેક્ષા હતી. પરંતુ આ થઈ શક્યું નહીં. ભારતીય તીરંદાજો મેડલ જીતી શક્યા ન હતા અને તેથી પેરિસ ઓલિમ્પિકની ટિકિટ મેળવવાની તક ગુમાવી હતી. જોકે, ભારત પાસે હજુ પણ ઓલિમ્પિકમાં સ્થાન મેળવવાની તક છે.


ભારતીય રિકર્વ તીરંદાજી ટીમોનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું. જેના કારણે ગુરુવારે અહીં વર્લ્ડ કપના ત્રીજા ચરણમાં બંને મેડલ ચૂકી ગયા હતા. પરંતુ તેમના વિશ્વ રેન્કિંગના આધારે, તેઓ પેરિસ ઓલિમ્પિક ટીમનો ક્વોટા મેળવવાની નજીક છે. વર્લ્ડ કપના ત્રીજા તબક્કામાં ભારતીય મહિલા ટીમ ચોથા સ્થાને રહી હતી, જ્યારે પુરૂષોની ટીમ અંતિમ 16માં પહોંચી હતી.


હવે બંને ટીમોએ સોમવાર સુધી રાહ જોવી પડશે. જ્યારે વર્લ્ડ આર્ચરી દ્વારા રેન્કિંગના આધારે સત્તાવાર યાદી જાહેર કરવામાં આવશે. નવા નિયમ અનુસાર ઓલિમ્પિક ક્વોટા રેન્કિંગ દ્વારા ટોચના બે દેશોને આપવામાં આવે છે. જેઓ ઓલિમ્પિક ક્વોલિફાયર દ્વારા ક્વોટા મેળવી શક્યા ન હોય.


આ લોકોએ ઓલિમ્પિક ક્વોટા જીત્યો

આ વર્લ્ડ કપ પહેલા અંતિમ ઓલિમ્પિક ક્વોલિફાયર અંતાલ્યામાં યોજાયો હતો. ભારતે અનુક્રમે ધીરજ બોમ્માદેવરા અને ભજન કૌરને કારણે પુરૂષો અને મહિલા વર્ગો માટે ઓલિમ્પિક ક્વોટા પ્રાપ્ત કર્યો છે. ક્વોલિફાય ન થયેલા દોશોમાં ભારતને ટોચના બે રેન્કિંગમાં બની રહેવા માટે ટીમ ઇવેન્ટ્સમાં સારું પ્રદર્શન કરવાની જરૂર હતી. હવે ટીમ ક્વોટા સાથે ભારત આવતા મહિને પેરિસ ઓલિમ્પિકમાં તમામ પાંચ ઈવેન્ટ્સ (પુરુષ અને મહિલા ટીમ, વ્યક્તિગત અને મિશ્ર ટીમ ઈવેન્ટ્સ)માં ભાગ લઈ શકશે.


તીરંદાજી એક એવી રમત છે જેમાં ભારતને હજુ સુધી મેડલ મળ્યો નથી. આ વખતે ભારત આ સુખાને ખતમ કરવાનો પ્રયાસ કરશે. તેથી, સોમવાર ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે. ભારતને આશા છે કે તેને સોમવારે ઓલિમ્પિકની ટિકિટ મળી જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application