અનંત અંબાણી-રાધિકાના લગ્નમાં મહેમાનોની થશે ખાસ નવાજીશ

  • February 15, 2024 11:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રજ્ઞાચક્ષુ કારીગરોને હાથે બનેલી ખાસ ગિફ્ટ આપવામાં આવશે

અનંત અંબાણી અને રાધિકા મર્ચંન્ટના થનારા લગ્નમાં ફક્ત એક કાર્યક્રમ નહીં પણ તેનાથી પણ વધારે કંઈક છે. તે પરંપરાગત ભારતીય કલાની સમૃદ્ધિની વિરાસતને યાદગાર બનાવવા માગે છે અને આ ઉદ્દેશ્ય સાથે લગ્નમાં ચાર ચાંદ લગાવવા માટે મહાબલેશ્વરના દ્રષ્ટિબાધિત કારીગર મહેમાનો માટે ખાસ ગિફ્ટ તરીકે મીણબત્તી તૈયાર કરશે. આ શાનદાર સહયોગમાં સ્વદેશને ન ફક્ત આ અવસરની શોભા વધારશે, પણ સમુદાયના ઉત્થાન પણ કરી રહ્યા છે અને સદીયો જુની શિલ્પ કૌશલની અમૂલ્ય વિરાસતને બચાવી રાખવાનું કામ કરી રહ્યા છે.


સ્વદેશ ભારતની પરંપરાગત કલાઓ અને કારીગરો માટે એક પ્રતીક બનીને ઊભું છે, જે આપણા દેશની પ્રાચીન કલા અને શિલ્પની સમૃદ્ધ વિરાસતને સુરક્ષિત રાખવા માટે ન ફક્ત એક ગંભીર કોશિશ કરી રહ્યું છે, પણ તેની આગેવાની પણ કરે છે. મેક ઈન ઈંડિયા અંતર્ગત સ્વદેશ એ પ્રતિભાશાળી પુરુષો અને મહિલાઓને સમર્થન કરે છે અને પ્રોત્સાહન આપે છે, જે શિલ્પના માધ્યમથી સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીમાં યોગદાન આપે છે.


રિલાયન્સ ઈંડ્સ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને એનકોર હેલ્થકેરના સીઈઓ વીરેન મર્ચન્ટની દીકરી રાધિકા મર્ચેન્ટના લગ્નનો ઉત્સવ 1-3 માર્ચ 2024ના રોજ જામનગરના રિલાયન્સ ગ્રીનમાં રાખવામાં આવ્યો છે. લગ્નના બંધમાં બંધાવા જઈ રહેલા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટે સત્તાવાર રીતે 19 જાન્યુઆરી 2023ના રોજ મુંબઈ ગોળ ધાણાની વિધિ કરી સગાઈ કરી હતી.

ગુજરાતી પરંપરામાં ગોળ ધાણા એ સગાઈની વિધિ છે. આ સમારંભ દરમ્યાન દુલ્હન પોતાના પરિવાર સાથે વરના ઘરે મિઠાઈ અને ગિફ્ટ લાવે છે. સગાઈની રસમમાં વિંટીનું આદન-પ્રદાન થાય છે. જે બાદ દરેક પરિવારની પાંચ વિવાહિત મહિલાઓ આશીર્વાદ આપે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application