શહેરના આંનદનગર વિસ્તારમાં આવેલા ૫૦ વારિયામાં રહેતા યુવાનને ચાર માસ પૂર્વે શખસ સાથે ઝધડો થયો હતો. તે વાતની અદાવત રાખી પિતા-પુત્ર સહીત પાંચે હુમલો કરી યુવાનને ધારીયા, ધોકાના ઘા ફટકારી ઈજા પહોંચાડતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. શહેરના આનંદનગર વિસ્તારના ૫૦ વારીયામાં રહેતા નરેશભાઈ તુલસીભાઈ રાઠોડે ઘોઘારોડ પોલીસ મથકમાં કિશોર, આંબલી કિશોરભાઈ, જીતેશ કિશોરભાઈ, કિશોરભાઈના પત્ની અને તેના સાળા સામે ફરીયાદ નોંધાવી હતી કે, ચારેક માસ પહેલા આંબલી સાથે ઝધડો થયો હતો. તે વાતની દાઝ રાખી ઉક્ત તમામે તેઓ આનંદનગરના ઉમીયામાંના ચોકમાં ઉભા હતા ત્યારે ધારીયુ, પાઈપ અને લાકડી જેવા હથીયાર લઈ આવી તેના પર હુમલો કરી આડેધડ ધા મારી ઈજા પહોંચાડી ’આજ તો તુ બચી ગયો છો. બીજીવાર મળતો નહી જાનથી જઈશ’ તેમ કહી ધમકી આપી હતી. દરમિયાન યુવકને ઈજાગ્રસ્ત હાલતે સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. ઉક્ત બનાવ અંગ પોલીસે તમામ સામે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકાના પીપરટોડા ગામે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરાયું
September 21, 2024 05:26 PMકાશી વિશ્વનાથ ધામમાં પ્રસાદની તપાસ કરવામાં આવી, જાણો શું કહ્યું ડેપ્યુટી કલેક્ટરે
September 21, 2024 05:25 PMભગવાન વેંકટેશ્વરને સૌપ્રથમ કોણે લાડુ ચઢાવ્યા હતા? જાણો મંદિરનો ઈતિહાસ
September 21, 2024 05:19 PMઘીની સુરક્ષા અને પારદર્શિતાને લઈને નંદની બ્રાન્ડ સાવધાન, હવે ઓટીપીથી ખુલશે ટેન્કર
September 21, 2024 05:01 PMPM આવાસ યોજના પાત્રતાની શરતોમાં થયો ફેરફાર, હવે 15 હજાર પગાર ધરાવતાને પણ મળશે લાભ
September 21, 2024 04:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech