મિયાણી મરીન પોલીસ મથકમાંથી વાહનો સાત દિવસમાં છોડાવી જવા થઇ અપીલ

  • September 20, 2024 03:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



મિયાણી મરીન પોલીસ મથકમાં વાહનો સાત દિવસમાં છોડાવી જવા અપીલ થઇ છે.
મિયાણી મરીન પોલીસ મથકના ઇન્સપેકટર એમ.ડી.વાળાએ જણાવ્યુ છે કે આથી ઇન્સ્યોરન્સ કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ, વાહનમાલિકો અને જાહેર જનતાને જણાવવાનું કે મિયાણી મરીન પોલીસ સ્ટેશનમાં એમ.વી. એકટ ૨૦૭ મુજબ કબ્જે કરવામાં આવેલ વાહનો ઘણા લાંબા સમયથી બિનઉપજાઉ પડી રહેલ છે. 
આવા વાહનોની યાંત્રીક પ્રણાલી બીનકાર્યક્ષમ બની ગયેલ છે તેમની એસેટ વેલ્યુ રહેવા પામેલ નથી. આવા વાહનો પોલીસ સ્ટેશનની જગ્યા બિનજ‚રી રીતે રોકી રહેલ છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે આવા વાહનોના  માલિકો તેમજ કબ્જેદારોને આ નોટીસના માધ્યમથી પોતાના હવાલાવાળુ વાહન આગામી સાત દિવસમાં છોડાવી જવા અપીલ કરવામા આવે છે. આવા વાહનો છોડવવા અંગેની કાર્યવાહી કરવામાં નહી આવ્યેથી વાહનોની જાહેર હરરાજી કરી વાહનોનો નિકાલ કરી ઉપજેલ રકમના નાણા સરકારમાં જમા કરવામાં આવનાર છે. જેની નોંધ લેવા જાહેર જનતાને જણાવવામાં આવ્યુ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application