બુધવારે બિહારના મુઝફ્ફરપુરમાં એરફોર્સનું હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું છે. હેલિકોપ્ટર સીતામઢીથી પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી લઈને જઈ રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના થઈ હતી. હેલિકોપ્ટરમાં સવાર તમામ સૈનિકો અને પાયલોટ સુરક્ષિત છે. આ અકસ્માત મુઝફ્ફરપુરના ઔરાઈના નયા ગામના વોર્ડ 13માં થયો હતો. હેલિકોપ્ટર પાણીમાં પડી ગયું. ઘટના બાદ ઘટના સ્થળે અફરા-તફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
હેલિકોપ્ટર પૂરના પાણીમાં પડ્યું
હેલિકોપ્ટર ક્રેશના સમાચારથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ખૂબ જ નીચું ઉડી રહ્યું હતું. ત્યારે અચાનક તેમાં આગ લાગી અને તે પૂરના પાણીમાં પડી ગયું. લોકોએ હેલિકોપ્ટરને પડતું જોયું, જેના પછી ગામલોકો ત્યાં દોડી ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
હેલિકોપ્ટરમાં સવાર તમામ સૈનિકો અને પાયલોટને ગ્રામજનોએ સલામત રીતે બહાર કાઢ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, હેલિકોપ્ટરમાં આગ લાગવાને કારણે પાયલટે હેલિકોપ્ટરનું વોટર લેન્ડિંગ કરાવ્યું હતું.
સેનાએ નિવેદનમાં જણાવ્યું આ કારણ
આ દુર્ઘટનાને લઈને સેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, એન્જિન ફેલ થયા બાદ પાયલટે હેલિકોપ્ટરને પાણીમાં લેન્ડ કર્યું હતું. એરફોર્સના તમામ કર્મચારીઓ અને પાઇલોટ સુરક્ષિત છે. પ્લેન પાણીમાં લેન્ડિંગ દરમિયાન ક્રેશ થયું હતું. પાયલોટ અને ઈજાગ્રસ્ત જવાનોને સારવાર માટે SKMCH મોકલવામાં આવી રહ્યા છે. દુર્ઘટનાની જાણ થતાં જ SDRFની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech