અમિત શાહ આજથી બે દિવસ ગુજરાતમાં: ૪૪૭ કરોડના ૮૮ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત

  • October 02, 2024 12:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કેન્દ્રિય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી અમદાવાદના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે બે દિવસના પ્રવાસ દરમિયાન ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ૧૮ જેટલા કાર્યક્રમોમાં હાજરી આપશે ત્રીજી ઓકટોબરે લગભગ દોઢ ડઝન કાર્યક્રમમાં હાજરી આપશે આ ઉપરાંત સાણદં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના કાર્યકરોને સંબોધન કરશે તા ચોથી ઓકટોબરે સવારે ૧૦:૪૫ વાગે અમદાવાદ ડિસ્ટિ્રકટ કો ઓપરેટિવ બેન્કની સ્થાપના ૧૦૦ વર્ષની ઉજવણીમાં આગેવાનોને સંબોધન કરશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ૩ ઓકટોબરે શહેરમાં ૪૪૭ કરોડના ૮૮ કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત ક૨શે. ૧૪ વિકાસ કામોનું લોકાર્પણ થશે. યારે ૭૪નું ખાતમુહર્ત થશે. શાહીબાગમાં નવી બનેલી પોલીસ કમિશનર કચેરીનું શાહના હસ્તે ઉદઘાટન થશે. ઉપરાંત તેઓ વિવિધ વિસ્તારમાં કારગીલ પેટ્રોલપપં પાસે આવેલા બળદેવગીરી કોમ્યુનિટી હોલ ખાતે સવારે ૯.૪૫ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી આરોગ્ય ચકાસણી કેમ્પમાં હાજરી આપશે. ૭.૩૧ કરોડના ખર્ચે અખબારનગરથી માનસી હોસ્પિટલ થઇ વિજયનગર ક્રોસિંગ સુધી વ્હાઇટ ટોપિંગ રોડ, ૨.૨૪ કરોડના ખર્ચે નાબાર્ડ બેંકથી કિર્તિસાગર સુધી વ્હાઇટ ટોપિંગ રોડનું ખાતમુહર્ત કરશે.
ઉપરાંત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવને ખુલ્લ ો મુકશે કેન્દ્રીય ગ્રુપ મંત્રી સહ પરિવાર સાથે વતન માણસા ખાતે કુળદેવી ના દર્શન કરીને પૂજન કરશે અને આરતીમાં સામેલ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application