બગસરા ડેપોની રાજકોટ તરફની તમામ બસ બે દિવસથી બંધ

  • August 30, 2024 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાલમાં વર્ષી રહેલ વરસાદના પગલે બગસરા થી રાજકોટ તેમજ બગસરાથી જામનગર જતી તમામ બસો બધં કરી દેવામાં આવી છે. યારે અન્ય ડેપોની તમામ બસો રાજકોટ તેમજ જામનગર તરફ જવામાં કોઇ પણ પ્રકારનો વ્યવહાર નડતો નથી ત્યારે ફકત બગસરા ડેપોને જ રસ્તા ખરાબ અને પાણી ભરાય છે તેમ કહી અહીંયાથી ઉપડતી બસો બધં કરી દેવામાં આવી હોવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.
યારે હાલમાં જ સાતમ આઠમનું વેકેશન ખૂલ્યું છે જેના હિસાબે વિધાર્થીઓને પરત મૂકવા વાલીઓ જવું હોય છે તેવામાં બસો બધં કરી દેતા લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે. યારે અન્ય ડેપો જેવો કે ધારી ડેપો તેમજ રાજુલા ડેપો ને પણ રાજકોટ કે જામનગર જવામાં રસ્તો નડતો નથી ધારી ડેપો દ્રારા ધારી રાજકોટ તેમજ રાજુલા ડેપો દ્રારા રાજુલા જામનગર જેવી બસો વાયા બગસરા થઈને જ જતી હોય છે ત્યારે શું આ બસોને પાણી કે રસ્તો નડતો નથી કે ફકત બગસરા ડેપોની જ બસો પાણીમાં તણાય જાય છે આવા અનેક પ્રકારના સવાલો લોકો ઉઠી રહ્યાં છે તેમજ લોકો દ્રારા માંગ કરવામાં આવી છે કે તત્કાલ બગસરાથી રાજકોટ જતી તેમજ જામનગર જતી તમામ ટો ચાલુ કરવામાં આવે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application