માનવતા મરી ગઈ કે શું? ટ્રેન દુર્ઘટનાની જાણ થતાં એરલાઈન્સ કંપનીઓએ 2થી 3 ગણું ભાડું વધાર્યું

  • June 05, 2023 10:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઓડિશાના બાલાસોરમાં ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ જાણે માનવતા જ મારી પરવારી હોય એમ સરકાર દ્વારા કડક નિર્દેશ આપવા છતાં એરલાઇન્સ કંપનીઓએ કોલકાતાથી દક્ષિણ ભારતના ભુવનેશ્વર, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચિ જેવા શહેરોના ભાડામાં બમણો વધારો ઝિંકી દેવાયો હતો. મુસાફરોના જણાવ્યા મુજબ ટ્રેન દુર્ઘટનાના સમાચાર ફેલાતાની સાથે જ એકાએક એરલાઈન્સે કેટલાક શહેરોની ફ્લાઈટના ભાડામાં વધારો કરવાનું શરૂ કરી ડબલ ભાડા લેવાનું શરુ કરી દીધું હતું, કારણ કે ટ્રેનના રૂટને અસર થવાને કારણે લોકોએ ફ્લાઈટ શોધવાનું શરૂ કર્યું હતું.



કોલકાતાથી ભુવનેશ્વરનું ભાડું જે અગાઉ 6,000-7,000 રૂપિયાની આસપાસ હતું તે શનિવાર અને રવિવારે વધીને 12,000-15,000 રૂપિયા થઈ ગયું હતું. એ જ રીતે વિશાખાપટ્ટનમનું ભાડું શુક્રવાર સાંજ સુધી રૂ. 5,000-6,000 હતું, જે શનિવારે વધીને રૂ. 14,000-16,000 થયું હતું. રવિવારે ત્યાંની ડાયરેક્ટ ફ્લાઈટનું ભાડું 18 હજાર સુધી પહોંચી ગયું હતું. કોલકાતા-હૈદરાબાદ માટે 6,000 રૂપિયાથી શરૂ થતા ભાડા વધીને 18,000 રૂપિયા થઈ ગયા હતા. સોમવારે કોલકાતાથી હૈદરાબાદની નોન-સ્ટોપ ફ્લાઈટનું મિનિમમ ભાડું 15,000 રૂપિયા હતું. સોમવારે કોલકાતાથી ચેન્નઈનું ભાડું લગભગ 20 હજાર રૂપિયા હતું.



કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે તમામ એરલાઈન્સને ભાડામાં અસાધારણ વધારા પર નજર રાખવા અને તે ન થાય તે માટે પગલાં લેવા કડક સૂચનાઓ જારી કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application